________________
મોક્ષ એટલે સર્વ બંધનોમાંથી મુક્ત જીવાત્માની પરમાત્મ અવસ્થા. તે અવસ્થામાં આત્મા પોતાની અનંત સંપદાઓમાં સ્થિત થઈ જાય છે. ત્યાર પછી તેને ક્યારેય પાછા પડવું પડતું નથી. જો આટલો પુરુષાર્થ કર્યા પછી પાછા પડવાની શક્યતા હોય તો તેને મોક્ષ પણ ન કહેવાય. જૈન ધર્મના મતે આત્માને કશુંય બહારથી મેળવવાનું નથી. જે છે તે બધું તેની અંદર છે પણ તે કર્મથી આવૃત્ત છે - ઢંકાયેલું છે. બંધનો તૂટે કે આવરણો ખસે એટલે જીવાત્મા તેના સાચા સ્વરૂપમાં આવી જાય છે. વાસ્તવિકતામાં આપણે આપણી સંપદા જ ભોગવવાની છે. તેથી તો નિશ્ચયનય કહે છે કે આત્મા એ જ દર્શન છે, જ્ઞાન છે અને ચારિત્ર છે. વાત સાચી છે પણ આપણે તે સિદ્ધ કરવાની છે. આ વાત સિદ્ધ થાય છે સમ્યગદર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી. મોક્ષમાર્ગનાં આ ત્રણ સોપાન છે તેમાંથી એક પણ ચૂકીએ તો મોક્ષ દૂર રહી જાય. દર્શનથી જ્ઞાન, જ્ઞાનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ. મોક્ષ ચારિત્રની નિષ્પત્તિ છે. આવો મોક્ષ પ્રત્યેક જીવની સંભાવના છે અને અંતિમ ઉપલબ્ધિ છે.
50
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org