________________
આપણે જેને ચારિત્ર કહીએ છીએ તે મહદ્અંશે સામાજિક સ્વરૂપનું છે, છતાંય તે મહત્ત્વનું છે. દ્રવ્યચારિત્ર ઘણીવાર ભાવચારિત્રનું નિમિત્ત બની શકે છે અને તેને સહાયક નીવડી શકે છે. મૂળમાં તો ચારિત્રનો સંબંધ આંતરિક અવસ્થા સાથે છે. સંયમ અંદર ન ઊતર્યો હોય તો તે ઝાઝું પ્રાપ્ત ન કરી શકે. ચારિત્રની ઉત્કૃષ્ટ અવસ્થામાં જીવ વિભાવથી મુક્ત થઈ જાય છે અને સ્વભાવમાં આવી જાય છે. આખો ચારિત્રમાર્ગ આત્માની શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનો છે. દ્રવ્યચારિત્ર બાહ્ય શુદ્ધિનો માર્ગ છે અને તે સધાતાં અત્યંતર શુદ્ધિનો માર્ગ મોકળો બને છે. તેથી દ્રવ્યચારિત્રનું મૂલ્ય સહેજ પણ ઓછું નથી. સીધું જ ભાવચારિત્ર જવલ્લે જ આવી જાય અને તેમ બને તો પણ તે અપવાદમાર્ગ છે. તે રાજમાર્ગ નથી.
સમ્યગદર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જૈન ધર્મનો મોક્ષમાર્ગ છે. મોક્ષ એટલે બંધનમાંથી મુક્તિ. કોના બંધનમાંથી ? જીવ કર્મનાં બંધનોથી જકડાયેલો છે. લાખોકરોડો જન્મનાં કર્મે જીવને બંધનમાં રાખ્યો છે. ચાર કર્મ છૂટે ત્યાં દસ નવાં ઊભાં થઈ જાય. આમ ને આમ જીવનો સંસાર વધતો જ જાય છે. મોક્ષમાર્ગ એટલે સકલ કર્મોનો સંહાર કરવાનો માર્ગ. જીવને કર્મનાં બંધનોથી મુક્ત થવાનો માર્ગ. જૈન ધર્મે કર્મને તેનું લક્ષ્ય બનાવ્યું છે કારણ કે કર્મ જ જીવને તેના સ્વરૂપમાં આવવા નથી દેતાં. તેથી જૈન ધર્મે આત્માની ઉત્કૃષ્ટ અવસ્થા માટે મોક્ષ શબ્દ પસંદ કર્યો છે. જૈન ધર્મે નિર્વાણ કે બ્રાહ્મી સ્થિતિની વાત કરી નથી પણ મોક્ષની વાત કરીને તેના તત્ત્વ-નિરૂપણને સુસ્પષ્ટ કર્યું અને તે જ તેના સિદ્ધાંતને આનુષંગિક બની રહે છે.
ત્રણ સોપાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org