________________
ઝળહળતી રહે તે પ્રમાણે પ્રકાશ પથરાય અને આગળનો માર્ગ સ્પષ્ટ દેખાય.
આમ જૈન ધર્મમાં જ્ઞાનનાં ગણિત મંડાયેલાં છે. જૈન દર્શને તો ત્યાં સુધી વાત કરી છે કે જે આત્માને નષ્ટ થનારા દેહથી ભિન્ન માની રાગ-દ્વેષમાં તણાયા વિના મુક્ત જોઈ જાણે છે તેને પછી એટલાં શાસ્ત્રો ભણવાની જરૂર રહેતી નથી. જે જ્ઞાનના પ્રકાશમાં આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો માર્ગ જોઈ શકે તે જ જ્ઞાન અને સ્થિર થવામાં સહાય કરનારી સર્વ ક્રિયાઓ ધર્મ છે. આમ જૈન ધર્મની જ્ઞાનની વાત અન્ય દર્શનો કરતાં વિશિષ્ટ બની રહે છે.
જેણે જીવ અને જગતનું સ્વરૂપ જોયું, જેને આત્માની પરમ સંપદાનું જ્ઞાન થઈ ગયું અને તે પ્રાપ્ત કરવાના માર્ગ વિશેની માહિતી પણ મળી ગઈ છતાંય તેણે તે માર્ગ ઉપર ડગલાં ન ભર્યા. તો તેના જેવી બીજી કરુણતા કઈ હોઈ શકે? જ્ઞાનનું ફળ જ વિરતિ છે. સમ્યગ્દર્શનથી રસાયેલું જ્ઞાન જ સમ્યક જ્ઞાન બની રહે છે અને સામાન્ય રીતે આવું જ્ઞાન આચરણમાં ઊતર્યા વિના રહે નહિ. આત્માના ઊધ્વરોહણના માર્ગ ઉપર ડગલાં ભરવા માંડ્યાં એટલે યાત્રા શરૂ થઈ ગઈ. આ યાત્રા તે ચારિત્ર. ચારિત્ર એટલે સંયમ, ચારિત્ર એટલે વિરતિ. સંસારમાં આપણે ઘણું ભવભ્રમણ કર્યું, ઘણું રખડ્યા પણ આપણે ક્યારેય યાત્રા કરી ન જાણી. જીવ, મોક્ષમાર્ગ ઉપર ચાલવા માંડે એટલે યાત્રા શરૂ થઈ જાય. ધ્યેયની સ્પષ્ટતા સાથેની યાત્રા તે સમ્યક ચારિત્ર.
ચારિત્ર બોધ વિના ઊતરે નહિ અને ઊતર્યું હોય તો ટકે પણ નહિ. સમ્યગદર્શન વિના શ્રદ્ધા નહિ, પ્રતીતિ નહિ.
ત્રણ સોપાન
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org