________________
જ્ઞાન નથી કારણ કે સરવાળે તો તેમાં આત્માનું અહિત રહેલું છે. જૈન ધર્મ તો આવા જ્ઞાનથી સાવધ રહેવા જણાવે છે કારણ કે આવી માહિતી કે જાણકારી વ્યવસ્થિત રીતે પાપાચાર આદરી શકે, વિનાશનાં સાધનો બનાવી શકે અને પોતાના તેમજ અન્ય જીવો માટે દુઃખનું કારણ બની રહે. જે જ્ઞાન આત્માને ઉપકારક છે તે જ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનમાં પાયાની વાત છે ભેદજ્ઞાન એટલે શરીર અને શરીરમાં વ્યાપી રહેલ ચૈતન્ય-જીવાત્મા બન્ને જુદાં છે તે જ્ઞાન. આવું જ્ઞાન પોપટિયા જ્ઞાન હોય તો પણ ન ચાલે. જ્ઞાન આત્મસાત્ થયેલું હોવું જોઈએ. તે વિશે મનમાં સહેજ પણ શંકા ન હોવી જોઈએ. આ માટે જૈન દર્શને અમુક ભૂમિકાને આવશ્યક ગણી છે. આત્માની વિશુદ્ધિ વિના આવા જ્ઞાનની ઉપલબ્ધિ થઈ શકતી નથી અને ચિત્તનિરોધ વિના આત્મા વિશુદ્ધ થઈ શકતો નથી.
આજે આપણી પાસે અઢળક માહિતી પડેલી છે છતાંય આપણે બધા એક રીતે જ્ઞાનવિહોણા છીએ. વાસ્તવિકતામાં આપણને સાચા જ્ઞાનની દિશા જ પ્રાપ્ત થઈ નથી. સમ્યક જ્ઞાનવાળો જીવ રાગ અને દ્વેષથી મુક્ત ન થયો હોય પણ તેના રાગ-દ્વેષ ઘણા પાતળા પડી ગયા હોય, તેનામાં સર્વ જીવો પ્રત્યે સમભાવ જાગ્યો હોય, તેનો વ્યવહાર મૈત્રીભાવપૂર્ણ હોયઆવા જીવને વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંબંધો નથી હોતા તેમ નહિ પણ તેને તેમની પ્રત્યે મમત્વ નથી હોતું. અહં અને મમનો વિસ્તાર જેટલો મોટો તેટલો તે સમ્યક જ્ઞાનને વધારે બાધક નીવડે છે. ‘હું અને મારું’ એ વાત ચિત્તને ડહોળી નાખે છે અને જ્યાં ચિત્ત ક્ષુબ્ધ હોય ત્યાં સમ્યક જ્ઞાનના દીવાની જ્યોત ઝાંખી પડતી જાય. જ્ઞાનના દીવાની જ્યોત જેટલી
જૈન ધર્મનું હાર્દ
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org