________________
સામાન્ય રીતે જ્ઞાન તરીકે ઓળખીએ છીએ તે જ્ઞાન નથી. જીવનભર આપણે માહિતીનાં પોટલાં ઊંચકીને ફર્યા કરીએ છીએ તોય આપણો ઉદ્ધાર થતો નથી. માહિતી એ બોજ છે જ્યારે જ્ઞાન એ પ્રકાશ છે. પ્રકાશ થતાં વસ્તુનું યથાસ્વરૂપે જ્ઞાન થાય, વિષય યથા-તથા સ્વરૂપે સમજાઈ જાય તો તે સમ્યક કહેવાય. સમ્યગ્દર્શન થતાં બધું જ્ઞાન સમ્યક બની જાય. સમ્યગુ દર્શનનાં અજવાળાં ઊતરતાં સઘળું જ્ઞાન બોધ બની જાય. જૈન ધર્મમાં બોધિનું ઘણું મહત્ત્વ છે. જૈન મત પ્રમાણે જે જ્ઞાન આત્માને ઉપકારક નથી તે બધું મિથ્યાજ્ઞાન ગણાય છે. મિથ્યા એટલે ગેરમાર્ગે દોરનારું.
જ્ઞાન એ દીપ સમાન છે. જે જ્ઞાનમાં આગળનો માર્ગ, આત્માના ઊધ્વરોહણનો માર્ગ સ્પષ્ટ અને સુરેખ ન હોય તેને જૈન ધર્મ જ્ઞાન માનવા જ તૈયાર નથી. જૈન ધર્મમાં જ્યાં
જ્યાં જ્ઞાનની વાત આવે તેને સમ્યક જ્ઞાનની જ વાત સમજવી રહી. સમ્યક જ્ઞાન એટલે યથા-તથા જ્ઞાન. જે વસ્તુ જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે તેને જાણવામાં આવે તે જ જ્ઞાન, બાકી બધું અજ્ઞાન જ સમજવાનું. અહીં અજ્ઞાન એટલે જાણકારીનો અભાવ નહિ ગણવાનો. પણ જે માર્ગ શિખર ઉપર ન પહોંચાડે, જે માર્ગે જતાં મંજિલે ન પહોંચાય તેને માર્ગ કેમ કહેવાય ? આ રીતે જૈન ધર્મ જ્ઞાનનું મૂલ્યાંકન કરે છે. તે પ્રમાણે આત્મા વિશેની જાણકારીને જ જ્ઞાન ગણાય.
સામાન્ય રીતે લોકો જેને જ્ઞાન ગણે છે તે તો વિષયની જાણકારી છે. આવી જાણકારી સંસારમાં સફળ થવા માટે જરૂરી ગણાય. તેનાથી કીર્તિ મળે, વાહ-વાહ થાય, તે વેચીને કે તેને આધારે ધન-સંપત્તિનું ઉપાર્જન થઈ શકે. પણ તે સમ્યક
ત્રણ સોપાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org