________________
આંધળાના હાથમાં સામ્રાજ્ય હોય તો પણ તે ભિખારી છે જ્યારે આંખવાળો - દૃષ્ટિવાળો પોતાના હાથમાં ભિક્ષાપાત્ર હશે તો પણ સામ્રાજ્ય બનાવી લેશે.
આ જિંદગીમાં જે મળે છે તે બધી બહારની સંપદા છે. તેનાથી આપણું પાત્ર ક્યારેય નહિ ભરાય. જ્યાં સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી આપણે ખાલી ને ખાલી જ રહેવાના અને અહીં-તહીંથી કાંકરા જ ભેગા કર્યા કરવાના. સમ્યગ્દર્શન અનર્ગળ - આંતરિક સમૃદ્ધિ છે જે પ્રાપ્ત કરવા માટે માનવભવમાં સૌથી વધારે અનુકૂળતા મળી રહે છે.
ટૂંકમાં સમ્યગ્દર્શન એટલે જડ એવો દેહ અને તેની આસપાસ રચાયેલો સંસાર તે હું નથી. હું તો અનંત શક્તિનો સ્વામી ચૈતન્ય છું. આ અનુભૂતિ જેટલી ગાઢ તેટલું સમ્યગ્ દર્શન સુદૃઢ અને પરિપક્વ.
સમ્યગ્દર્શન કોનું કરવાનું ? જીવ અને જડના સ્વરૂપનું. આ દર્શન થતાં સ્વાભાવિક રીતે જીવના જગત સાથેના, અન્ય જીવો સાથેના, અરે! પોતાના દેહ સાથેના સંબંધોનું યથાર્થ મૂલ્યાંકન થઈ જાય. આ મૂલ્યાંકન તે સમ્યક જ્ઞાન. આપણે સામાન્ય રીતે માહિતીને જ્ઞાન કહીએ છીએ. અતીતનું જ્ઞાન સ્મૃતિથી ઉપલબ્ધ થાય અને ભાવિનું જ્ઞાન ધારણા કરીને પણ મેળવી શકાય. એકમાં અતીત રહેલો છે, બીજામાં ભાવિ છુપાયેલું છે. શાસ્ત્રો વાંચીને, પુસ્તકો વાંચીને કે શ્રવણ કરીને, જ્ઞાન મળે; પણ આ બધું આમ તો માહિતીના સ્તરનું જ ગણાય. જ્યારે માહિતીનું યથાર્થ મૂલ્યાંકન થઈ જાય ત્યારે તે સાચા અર્થમાં જ્ઞાન બની જાય. બીજી રીતે કહીએ તો જેને આપણે
જૈન ધર્મનું હાર્દ
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org