SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જ વસ્તુને સતત જોઈએ છીએ તેથી આપણને સંસાર તેના સાચા સ્વરૂપે દેખાતો નથી. આપણી દૃષ્ટિને સંસાર રંગીન લાગે છે પણ તે કાચનાં રમકડાં જેવો છે. ભલે તે રંગીન દેખાય પણ તે સંગીન નથી હોતો. આપણું શરીર ક્ષણભંગુર છે જે અવશ્ય પડવાનું છે - એ હકીકતને પાયામાં રાખી આપણે સંસાર સજાવીએ છીએ. જે આપણું નથી તેને આપણું માનીને તેની ઉપર આપણે ઈમારત ઊભી કરીએ છીએ. પછી જેવી ઈટો ખરવા માંડે છે કે આપણે ભયભીત થઈ જઈએ છીએ, વિહૂવળ બની જઈએ છીએ. આપણે જાગીએ અને કંઈ સંભાળી લઈએ તે પહેલાં તો આપણો સંસાર પત્તાંના મહેલની જેમ પડી ગયો હોય છે અને આપણે ક્યાં ભૂંસાઈ ગયા તેની ખબર પણ પડતી નથી. જાણે ક્યારેય કોઈ ઇમારત હતી જ નહિ. સમ્યગદર્શન એટલે વસ્તુ જેવી છે તેવી જ તેને જોવી, રાગ-દ્વેષ વિના જોવી-સમજવી. આવું દર્શન ઊતરે તે ખાતરીના ઘરનું હોય, સ્વયંની અનુભૂતિનું હોય એટલે તે શ્રદ્ધાનું જનક બની રહે. જૈન શાસનમાં દર્શન પહેલું ગણાય છે. સમ્યગૂ દર્શન આત્માના ઊધ્વરોહણનું પ્રથમ સોપાન છે. પ્રથમ પગથિયે જ જ્યાં અજવાળાં પથરાઈ ગયાં એટલે ઉપરની આખી સીડીનિસરણી સ્પષ્ટ દેખાવાની અને જીવ પોતાની ક્ષમતા મુજબ તેના ઉપર ચડવા માંડવાનો. કોઈ ઝડપથી ચડે તો કોઈ ધીરેથી ચડે પણ સમ્યગ્દર્શન વિના આગળ વધાય નહિ. * જૈન ધર્મમાં સમ્યગદર્શન વિનાના જ્ઞાનની કોડીની ય કિંમત નથી ગણાતી. તેથી સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિને ત્રણ લોકના લાભ કરતાં ય અધિક ગણવામાં આવે છે. ત્રણ સોપાન ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy