________________
પછી તમે જે વિચારો છો, બોલો છો તે શ્રદ્ધાના ઘરનું હોય છે. આમ દર્શન પોતાની મૂડીના વેપાર જેવું છે જ્યારે જ્ઞાન ઉધાર લાવેલી મૂડીના વેપાર જેવું છે. પારકી મૂડીના વેપારમાં હંમેશાં જોખમ રહેલું છે. લેણદાર જો પોતાની મૂડી પાછી માંગી લે તો વેપાર ઠપ થઈ જાય. દર્શન એ પોતાની મૂડી છે જેને કોઈ પાછી લઈ લે તેવો સંભવ નથી.
બીજી રીતે વિચારીએ તો દર્શન અનુભૂતિની નીપજ છે. હિમાલય વિશે ગમે તેટલું વાંચીએ તો પણ આપણે અધૂરા રહેવાના. વળી કંઈ જુદી જ વાત તેના વિશે વાંચવામાં આવે તો મૂંઝવણમાં મુકાઈ જવાના. પણ એક વખત જાતે જ હિમાલયનું દર્શન થઈ ગયું પછી તેના ઉપર પાકી શ્રદ્ધા થઈ જાય છે. સાકર વિશે અનેક પુસ્તકો વાંચીએ પણ તેની મીઠાશનો ખ્યાલ ન આવે. પણ સાકરનો ગાંગડો જેવો જીભ ઉપર મૂક્યો કે સાકર વિશે કે તેની મીઠાશ વિશે કંઈ વાંચવાની જરૂર રહેતી નથી. આમ દર્શન જ્ઞાન કરતાં ઘણું જુદું પડી જાય છે. દર્શનમાં અનુભૂતિ છે તેથી શ્રદ્ધા તેની અંતર્ગત રહેલી છે. જ્ઞાન વિશે ખાતરીપૂર્વક ન કહેવાય, પણ દર્શન થઈ ગયા પછી બીજા કોઈ પુરાવાની જરૂર રહેતી નથી.
આમ તો દર્શન આપણા માટે કંઈ નવું નથી પણ જૈન ધર્મમાં જે વાત કરી છે તે સમ્યગૂદર્શનની છે. સામાન્ય રીતે આપણે જે દર્શન કરીએ છીએ તે સમ્યગ્દર્શન નથી હોતું. કારણ કે આપણી આંખ ઉપર મોહનાં પડળ ચડેલાં હોય છે તેથી આપણને વસ્તુના શુદ્ધ સ્વરૂપની ઝાંખી ભાગ્યે જ થાય છે. રંગીન કાચ દ્વારા જે જુએ છે તેને વસ્તુના સાચા રંગ કે સ્વરૂપનો ખ્યાલ નથી આવતો. આપણે રાગદ્વેષની આંખથી
જૈન ધર્મનું હાર્દ
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org