________________
છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. ભગવાન મહાવીરનો આ મોક્ષમાર્ગ છે. તેનાં ચઢાણ કદાચ કપરાં રહે પણ માર્ગ સ્પષ્ટ અને સુરેખ છે.
સમસ્ત અધ્યાત્મજગતમાં જ્ઞાન શબ્દ જ પ્રચલિત છે. કેવળ જૈન શાસનમાં જ દર્શન શબ્દ સ્વતંત્ર રીતે વપરાય છે. આપણે દર્શનને જ્ઞાનથી જુદું તારવી કાઢ્યું છે અને સમ્યગ્ દર્શનને મોક્ષમાર્ગનું પ્રથમ ચરણ ગણ્યું છે. આમ તો સામાન્ય રીતે દર્શન એટલે જોવું. જોવા માટે જાગવું પડે અને આંખ ઉઘાડવી પડે. જેને આપણે જિંદગી કહીએ છીએ તે વાસ્તવિકતામાં સૂતેલી છે કારણ કે આપણે મોહનિદ્રામાં પડેલા છીએ. જ્યારે આપણે તેમાંથી જાગીશું ત્યારે લાગશે કે આપણી જિંદગી એક સ્વપ્નથી અને તેમાં ય એક દુઃસ્વપ્નથી કંઈ વિશેષ ન હતી. જૈન ધર્મે સૌપ્રથમ આ ગાઢ મોહનિદ્રામાંથી જાગવાની વાત કરી છે. જાગીને જોઈશું તો જ આપણને સંસારના વિષયો અને વસ્તુઓ તેના યથાર્થ સ્વરૂપે દેખાશે. સંસાર એટલે જડ અને ચેતનના તાણા-વાણા. જીવ અને જગતનું જે સ્વરૂપ છે તે સ્વરૂપે તેને જોવું એટલે સમ્યગ્દર્શન. તેના વાસ્તવિક સ્વરૂપ કરતાં ભિન્ન સ્વરૂપે તે દેખાય તો મિથ્યા દર્શન કે દર્શનાભાસ. જૈન ધર્મમાં દર્શન, શ્રદ્ધાના પર્યાય તરીકે વપરાય છે તે સકારણ છે. કોઈ વિષય કે વસ્તુ વિશે વાંચીને કે સાંભળીને આપણે જે કંઈ મેળવીએ છીએ તે કેવળ કોરી માહિતી બની રહે છે. એકઠી કરેલી કે વ્યવસ્થિત ગોઠવેલી માહિતી શાસ્ત્ર બની જાય છે. શાસ્ત્રનું જ્ઞાન મહત્ત્વનું છે પણ તે ગોદે લીધેલા જ્ઞાન જેવું છે. પણ જેવા તમે વિષયને જાતે જુઓ છો કે તુરત જ તમને તેના સ્વરૂપની ખાતરી થઈ જાય છે. ત્યાર ત્રણ સોપાન
Jain Education International
For Private & Personal Use Only
૫૧
www.jainelibrary.org