________________
ખૂબ મહત્ત્વનું તત્ત્વ છે.
જીવ સંવર સાધે તો પણ તેટલાથી તેનું કાર્ય પૂર્ણ ન થાય. જીવ સાથે તો જન્મોજન્મનાં કર્મોના ભંડાર પડેલા છે. સંવરથી નવાં આવતાં કર્મ રોકાઈ ગયાં કે અલ્પ થઈ ગયાં પણ તેનાથી કર્મના ભર્યા ભંડારો ખાલી ન થઈ શકે. કર્મના ભંડારોને ઉલેચવા માટે જે પ્રક્રિયા થાય છે તેને નિર્જરા કહે છે. નિર્જરા બે પ્રકારે થાય છે. એક તો જીવ જ્યારે કર્મ ભોગવે છે ત્યારે તે આત્મા ઉપરથી વિખૂટાં પડી જાય છે. પ્રત્યેક પળે ભોગવટા કે એવા અન્ય કારણે (પ્રદેશોદયથી) જીવથી થોકબંધ કર્યો વિખૂટાં પડે છે. તેને અકામ નિર્જરા કહે છે. તેમાં જીવનો સવિશેષ પુરુષાર્થ હોતો નથી તેથી કર્મ ખપતાં જાય - ખરતાં જાય પણ કર્મના ભોગવટા સમયે જીવ કષાયોને વશવર્તી રહી, પ્રમાદને આધીન થઈ પાછો અનેક નવાં કર્મોનો બંધ કરતો રહે છે. સામાન્ય રીતે તો એવું બને છે કે કર્મ છૂટે ઓછાં અને બંધાય વધારે. જીવ જ્યારે સમજણ સાથે પૂર્ણ ભાવથી કર્મને ખંખેરવા-ઉલેચવા જે પ્રક્રિયા કરે છે તેને સકામ નિર્જરા કહે છે. સાચા-ખોટાનો બોધ થયા વિના, કષાયો મંદ પડ્યા વિના, મન-વચન અને કાયાના યોગોનો નિગ્રહ કર્યા વિના સકામ નિર્જરા ન સધાય. અને સકામ નિર્જરા કર્યા વિના કર્મના ભંડારો ઉલેચાય નહિ. આપણી ધર્મક્રિયાઓ, જપ-તપ, સેવા-પૂજા, ધ્યાન-ધારણા ઇત્યાદિ અનુષ્ઠાનો કર્મનો સંવર કરવા માટે અને સકામ નિર્જરા સાધવા માટે હોય છે. જાગેલો જીવ, સમ્યક દર્શનથી વિભૂષિત થયેલો જીવ જ આવો સંવર અને સકામ નિર્જરા કરી શકે. આમ નિર્જરા નવ તત્ત્વોમાંનું એક અતિ મહત્ત્વનું તત્ત્વ છે.
આત્માથી પરમાત્મા
Jain Education International
For Private & Personal Use Only
૪૭
www.jainelibrary.org