________________
કર્મો પોતાની તરફ ખેંચી લઈને પોતાની સાથે ઓતપ્રોત કરી દેતો જ હોય છે. તે જ રીતે પ્રત્યેક પળે થોકબંધ કર્મો ભોગવટાથી કે અન્ય પ્રકારે જીવ ઉપરથી ખરી જતાં હોય છે. કર્મના પુગલોની જીવ સાથે ઓતપ્રોત થઈ જવાની પ્રક્રિયા સતત થયા જ કરે છે. કર્મ તરીકે પરિણમવાની યોગ્યતાવાળા પુદ્ગલોનું જીવ પ્રતિ આવવું તે આસવ છે. તાત્વિક રીતે તો જીવ જ્યારે કર્મ બનવાની યોગ્યતાવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે અને પોતાની સાથે જોડી દે છે ત્યાર પછી જ તે કર્મ બને છે. પણ ઉપચારથી આપણે સરળતા ખાતર કહીએ છીએ કે જીવ કર્મ ગ્રહણ કરે છે કે જીવ કર્મનો આસવ કરે છે. જાગેલા જીવનું લક્ષ્ય કર્મથી અળગા થઈ જવાનું હોય છે તેથી તેણે આસવથી બચવું જોઈએ કે આસ્રવ અલ્પ થાય તે રીતનો વ્યવહાર રાખવો જોઈએ. આસવ તત્ત્વને જાણ્યા વિના કર્મના પ્રવાહને રોકવાની જીવને ફાવટ ન આવે. કર્મના આસવનું મૂળ કારણ મિથ્યાજ્ઞાન અને કષાય એટલે ભાવ છે અને તેનું સાધન મન, વચન અને કાયાનો યોગ – અવિરતિ છે. જીવ કેટલા પ્રમાણમાં, કેટલા વેગથી, કેવી રીતે કર્મનો આસવ કરે છે તેનું આખું વિજ્ઞાન કર્મવાદમાં નિરૂપાયેલું છે.
આસવ તત્ત્વને સમજ્યા પછી જીવને સ્વાભાવિક રીતે વિચાર આવવાનો કે આ કર્મપ્રવાહને રોકાય કેવી રીતે ? કર્મને રોકવાં એટલે કર્મનો સંવર કરવો. કર્મના પ્રવાહને રોકવા માટે કર્મને આવવાનાં દ્વાર–નાળ વગેરે બંધ કરવાં રહ્યાં. કર્મને સમૂળાં ને રોકી શકાય તેમ હોય તો જાગેલો જીવ કર્મના આગમનના પ્રવાહને પાતળો કરી નાખે. કર્મને રોકવા માટે સંવરનો આશ્રય બહુ મહત્ત્વનો બની રહે છે. આમ, સંવર
જૈન ધર્મનું હાર્દ
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org