________________
આત્યંતિક છે. જીવ સાથે કર્મ અનાદિ કાળથી જોડાયેલાં છે એટલે કે જીવને કર્મનો સંગ-બંધ અનાદિ કાળથી છે. જીવને આ વાતનો ખ્યાલ આવી જાય, પ્રતીતિ થઈ જાય એટલે બંધ તત્ત્વ સમજાઈ ગયું. બંધ એટલે કર્મનો બંધ. જીવને કોઈએ બાંધ્યો નથી પણ તે બંધાયેલો છે. જીવને પોતાના બંધનનો ખ્યાલ આવે એટલે તે બંધન તોડવા પ્રયાસ કરે. સારાં અને સુખ આપનારાં કર્મને પુણ્ય કહે છે અને દુઃખ આપનાર કર્મને પાપ કહે છે. પુણ્ય અને પાપ બન્ને આમ છે તો કર્મ. અને કર્મ એટલે બંધન. પુણ્ય સુખ આપે છે, જીવને પ્રસન્ન રાખે છે જયારે પાપના પરમાણુઓ જીવને દુઃખ આપે છે, ગ્લાનિમાં લઈ જાય છે. તેથી જીવને પુણ્યકર્મનો ભોગવટો કઠતો નથી પણ પાપકર્મનો ભોગવટો ખટકે છે. જીવે મુક્ત દશા માણવા માટે છેવટે તો પુણ્ય અને પાપ બન્ને પ્રકારનાં કર્મથી છુટકારો મેળવવો પડે. જીવને એક વખત પ્રતીતિ થઈ જવી જોઈએ કે કર્મમાત્ર પરાધીન અવસ્થા છે. જો આવી પ્રતીતિ ન થઈ હોય તો જીવ કર્મથી છૂટવા તત્પર નહિ થાય. બંધ એટલે કર્મબંધ અને તેની અંતર્ગત જ પુણ્ય અને પાપ આવી જાય. તેથી કેટલાક મનીષીઓએ પુણ્ય અને પાપને સ્વતંત્ર તત્ત્વો ન ગણતાં કેવળ આસવ તત્ત્વ તરીકે વિચાર કર્યો છે. તે રીતે વિચાર કરીએ તો તત્ત્વોની સંખ્યા સાત થાય પણ મૂળ વાત તો એકની એક જ રહે છે.
નવ તત્ત્વોમાં આપણે જીવ અને અજીવ અર્થાત્ પુદ્ગલ વિશે જાણ્યું. કર્મ પુદ્ગલ છે અને તેના જીવ સાથેના સંબંધ અર્થાત્ બંધતત્ત્વનો વિચાર કર્યો. બંધમાં પુણ્ય અને પાપ બને આવી જાય. જીવ જાણતાં કે અજાણતાં પ્રત્યેક પળે અનર્ગળ આત્માથી પરમાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org