SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જો કોઈ બળવત્તર કારણ હોય તો તે કષાય છે. કર્મ કષાયને અનુસરે છે અને પછી તે આત્મા સાથે ઓતપ્રોત થઈને જીવને પોતાની નાગચૂડમાં લઈ લે છે. નવ તત્ત્વોમાં અજીવ કે જડનો જે ઉલ્લેખ થાય છે તે કર્મનો છે. જૈન ધર્મ જ એક એવો ધર્મ છે કે જેણે કર્મને જડ ગણ્યું છે — પૌદ્ગલિક માન્યું છે. કર્મના પરમાણુઓ અતિ-અતિ સૂક્ષ્મ હોય છે અને કષાયોની ચીકાશને લીધે તે આત્મા સાથે ચોંટી જઈને એકરૂપ થઈ જાય છે. આમ તો લંગભગ બધા ધર્મોએ કર્મવિચાર કર્યો છે પણ જૈન ધર્મની જેમ કોઈએય તેને પરમાણુ સ્વરૂપે જડ નથી ગણ્યું અને તેથી જ તે બધા કર્મની સાંગોપાંગ નિષ્પત્તિ કરવામાં ક્યાંક ને ક્યાંક અટવાઈ પડે છે. જૈન ધર્મે દુઃખનું સચોટ નિદાન કરી કર્મને દોષિત ઠરાવ્યું છે. કર્મ, કષાયને આધીન છે અને જીવમાત્ર કર્મને વશ થઈને વર્તે છે. પરમાત્માની સંભાવનાથી ભરેલો જીવ, સંસારમાં રખડ્યા કરે છે તે કેવળ કર્મને કારણે. જડ એવા કર્મના સંબંધથી જીવ જડમાં રાચે છે અને ચૈતન્યની અનર્ગળ સમૃદ્ધિ તેની અંદર હોવા છતાંય તે તેનો આવિષ્કાર કરી શકતો નથી. તેથી નવ તત્ત્વોમાં જીવ તત્ત્વની શરૂઆત સાથે જ અજીવની વાત કરી. અહીં અજીવમાં વિશેષતયા કર્મની જ વાત છે. કર્મ જડ અજીવ છે. પારમાણિક છે છતાંય ચેતન એવા જીવને તે નચાવે છે. તે વિચારણા તો જૈન ધર્મની ખાસ દેન છે. જડ એવું કર્મ, ચૈતન્ય એવા જીવ ઉપર પોતાનો પ્રભાવ કેવી રીતે પાડે છે તે કર્મવાદની ગહન વાતો છે. છે જીવે પરમાત્મ અવસ્થાની પ્રાપ્તિ માટે કર્મથી મુક્ત થવાનું છે. કર્મ જડ છે અજીવ છે પણ જીવ ઉપર તેનો પ્રભાવ જૈન ધર્મનું હાર્દ - ૪૪ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy