________________
આસવ, સંવર, નિર્જરા અને મોક્ષ. ત્રણ અવસ્થાઓ :
આપણે આગળ જોઈ ગયા કે જાગેલો જીવ નિરંતર આત્મદશા અને પરમાત્મદશા વચ્ચે ઝોલા ખાતો હોય છે. ઘણીવાર વચ્ચે વિશ્રામ પણ લેતો હોય છે. તેમાંય જ્યારે જીવની આત્મદશા કષાયોથી ગાઢ રીતે રંગાયેલી હોય છે ત્યારે તે પરમાત્મદશાથી જોજનો દૂર ચાલ્યો જાય છે. જ્યારે કષાયો પાતળા પડ્યા હોય છે ત્યારે તે પરમાત્મદશાની નજીક જતો હોય છે. બાકી મોટે ભાગે જીવ આ બેની વચ્ચે ઝોલે ચડેલો હોય છે. જૈન ધર્મમાં જીવની આ અવસ્થા દર્શાવવા ત્રણ સુંદર શબ્દો યોજેલા છે. જીવ જ્યારે કષાયોથી ઘેરાયેલો હોય છે ત્યારે તે જડ જગત પ્રતિ અમુિખ થયેલો હોય છે તેને બહિરાત્મદશા કહે છે. બહિરાત્મદશામાં જીવને પોતાના અસ્તિત્વનો હું'નો કષાયમય બોધ અહંકાર હોય છે. જ્યાં વિચાર આવ્યો કે “હું કોણ છું? “હું આમ કેમ છું? ત્યાં જ તેનું અંતરાત્મદશા તરફ પ્રસ્થાન થઈ જાય છે. કષાયો ખસવા માંડે ત્યારે જ અંતરાત્મદશા પ્રાપ્ત થવા માંડે. અંતર્મુખ થયેલ જીવ ધર્મની અભિમુખ જ હોય છે. આરાધના કરતાં કરતાં જીવને જ્યારે રાગ-દ્વેષવિહીન આત્માની શુદ્ધ અવસ્થાની પરિપૂર્ણ અનુભૂતિ થઈ જાય એટલે જીવ પરમાત્મદશાને પ્રાપ્ત કરી લે, પરમાત્મા થઈ જાય.
જીવની આ ત્રણેય અવસ્થાઓમાં પાયાની વાત છે કષાય. ક્રોધ, માન, માયા અને લોભ - આ બધા કષાયો રાગ-દ્વેષની પરિણતિને લીધે જ ઉત્પન્ન થાય છે. સાથે સાથે એ વાત પણ સમજી લેવી છે કે કષાય એટલે જ કર્મ કર્મના આવાગમન આત્માથી પરમાત્મા
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org