________________
આવી જાય છે. નવ તત્ત્વોનો અભ્યાસ આત્મામાંથી પરમાત્મા કેવી રીતે બનાય તેનો ખ્યાલ આપે છે. જીવ પોતાના બોધપૂર્ણ અસ્તિત્વમાંથી પરિપૂર્ણ અસ્તિત્વ તરફ કેવી રીતે જઈ શકે તે વાત નવ તત્ત્વોનો વિચાર કરવાથી સમજાય છે.
છ દ્રવ્યોનો વિચાર કરતાં આપણે જોયું કે જીવ અને પુદ્ગલ સંસારના બે છેડા છે. આ બે ઘટકો પરસ્પરને પ્રભાવિત કરે છે. જીવની સંભાવના આમ તો પરમાત્મા બનવાની છે પણ પુદ્ગલના સંહવાસથી જડમાં રચ્યાપચ્યા રહેવાને કારણે જીવ સંસારમાં ઝોલા ખાય છે. ઘડીમાં તે જડની નજીક ચાલ્યો જાય છે તો ઘડીમાં તે ચેતનભાવની નજીક પહોંચી જાય છે. આમ ભવોભવથી ઝોલે ચડેલો જીવ જાગીને જડ તરફ ઝૂકવાનું બંધ કરી કર્મથી વિમુખ થઈને પરમાત્મદશા તરફ કેવી રીતે વળે તે માટે મહત્ત્વનાં બે દ્રવ્યો જીવ અને પુદ્ગલને અલગ તારવીને નવ તત્ત્વોમાં લઈ લીધાં છે. જીવે કર્મથી અલગ થઈ પરમાત્મા સુધી પહોંચવા સાત સમુદ્ર જેવી સાત સ્થિતિ પાર કરવી પડે છે. નવ તત્ત્વોમાં કર્મસહિત આત્મા એક છેડે છે તો બીજે છેડે કર્મરહિત અવસ્થા—મોક્ષ છે. મોક્ષ એટલે મુક્તિધામ. ત્યાં પહોંચ્યા પછી ક્યાંય આગળ જવાનું રહેતું નથી અને પાછા પડવાનુંય રહેતું નથી. મોક્ષ પ્રાપ્ત કરીને જીવ કૃતકૃત્ય થઈ જાય છે. ગણ્યા ગણાય નહિ તેટલા ભવોથી ચાલતી જીવની યાત્રા ત્યાં પહોંચતાં પૂર્ણ થઈ જાય છે. મોક્ષ એટલે મંજિલ મળી ગઈ. બસ, પછી ત્યાં આત્મા પરમાત્મા બનીને અનંતની સમૃદ્ધિ ભોગવે છે.
જે નવ તત્ત્વોનો જૈન ધર્મમાં વિચાર જીવ, અજીવ (જડ એવું કર્મ), બંધ,
૪૨
Jain Education International
For Private & Personal Use Only
થાય છે તે છે પુણ્ય, પાપ,
જૈન ધર્મનું હાર્દ
www.jainelibrary.org