________________
તે બતાવનાર અને ત્રીજું છે હેય એટલે કે આરાધના માર્ગમાં જીવે શું છોડવા જેવું છે તેની માહિતી આપનાર.
નવ તત્ત્વો જીવનમાં શું જોય છે, શું ઉપાદેય છે અને શું હેય છે તેનો વિચાર કરી બતાવે છે. છ દ્રવ્યોમાં સફળ વિશ્વની સંરચનાનો કે સંસારના સ્વરૂપનો ખ્યાલ આવી ગયો પણ જો તે જાણીને કંઈ કરીએ જ નહિ તો તે બધું શેયના ઘરનું બની જાય અને આપણે તેના લાભથી વંચિત થઈ જઈએ. તેનાથી કેવળ વિદ્વત્તા દેખાય કે દેખાડી શકાય પણ છેવટે તે પણ ફક્ત અહંકારને પોષનારું બની રહે. તેથી છ દ્રવ્યોનો વિચાર કર્યા પછી તુરત જ નવ તત્ત્વોનો વિચાર ઘણો આવશ્યક બની રહે છે. જેમાં ઉપાદેય અને હેયની વાત આવે છે.
છ દ્રવ્યોનો વિચાર કરતાં આપણે જે ઘટકોનો વિચાર કર્યો તેમાં આપણને જે બે ઘટકો સાથે ઝાઝી નિસ્બત છે, તે છે જીવ અને જડ (પુદ્ગલ). જેને ખબર છે કે છું તે જીવાત્મા અને જેને ખબર નથી કે “હું છું તે જડ. જીવને “હું”ના હોવાની ખબર વધતી જાય તેમ તેમ તે જડ જેવી અવસ્થામાંથી ખસીને ચૈતન્યની નજીક આવતો જાય. જીવને હું”નું ભાન અલ્પ થતું જાય તો તે જડની નજીક આવતો જાય. પદાર્થમાં બોધહીન અસ્તિત્વ છે જયારે જીવમાં બોધપૂર્ણ અસ્તિત્વ છે. પરિપૂર્ણ અસ્તિત્વ ત્રીજી વાત છે. પરિપૂર્ણ અસ્તિત્વની અનુભૂતિ તે પરમાત્મદશા–મોક્ષ છે. જીવ અને જડ તો અલગ છે જ પણ જીવની ચેતના નિરંતર આ ત્રણ અવસ્થાઓ વચ્ચે ઝોલા ખાતી હોય છે. ઘડીમાં તે જડ તરફ ઝૂકે છે એટલે કે કર્મના પ્રભાવ હેઠળ વધારે આવી જાય છે. ઘડીમાં તે પરમાત્મા તરફ નમે છે તો ઘડીમાં તે વચ્ચે
આત્માથી પરમાત્મા
- ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org