________________
\| |
આત્માની પરમાત્મા |
જૈન ધર્મમાં અસ્તિત્વની વાત સમજાવતાં છ દ્રવ્યો અને અને નવ તત્ત્વો એમ બે બાબતોનો ઉલ્લેખ થાય છે. ભૌતિક વિજ્ઞાનમાં જેને તત્ત્વો કહે છે તેને મળતાં જૈન દ્રવ્યો છે છતાંય નવ તત્ત્વોનો અલગ ઉલ્લેખ થાય છે. તો સૌપ્રથમ આપણે આ બે વચ્ચેના ભેદને સમજવો પડશે. છ દ્રવ્યો સમગ્ર અસ્તિત્વના ઘટકો છે. એ છ ઘટકોમાંથી ચાર આપણા કાર્યક્ષેત્રની બહાર રહે છે. તેમનો આપણા ઉપર પ્રભાવ રહે છે. પણ આપણો તે દ્રવ્યો ઉપર ખાસ પ્રભાવ પડતો નથી. આપણે જે બે દ્રવ્યો સાથે નિસ્બત છે તે છે જીવ અને પુલ. શેય, હેય અને ઉપાદેય :
જૈન ધર્મની વસ્તુની વિચારણા કરવાની રીત વિશિષ્ટ છે. વિચાર તો બધાય કરે છે પણ તેની નિષ્પત્તિ વેળાએ તેઓ જે વર્ગીકરણ કરે છે તે મહત્ત્વનું બની રહે છે. જૈન ધર્મે આ નિષ્પત્તિને – જ્ઞાનને ત્રણ ક્ષેત્રમાં વહેંચી દીધું છે. એક ક્ષેત્રમાં વસ્તુ કે સંસારના સ્વરૂપનું જ્ઞાન આવે છે. તેને શેય કહે છે. આવું જ્ઞાન જરૂરી છે – ઉપકારી છે, કારણ કે તેના પ્રકાશમાં જ આગળનો માર્ગ સ્પષ્ટ થાય છે. પણ એવું કેટલુંક જ્ઞાન છે કે જે શું મેળવવા જેવું છે, શું સાધવા જેવું છે તે દર્શાવે છે. તો એવું પણ કેટલુંક જ્ઞાન છે કે જે શું છોડવા જેવું છે તે બતાવે છે. આમ જૈન ધર્મ પ્રાપ્ત થયેલ જ્ઞાનને ત્રણ રીતે અલગ તારવી બતાવે છે. એક છે શેય એટલે જાણવા જેવું. બીજું છે ઉપાદેય એટલે શું મેળવવા જેવું છે
જૈન ધર્મનું હાર્દ
૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org