________________
જન્મ અને મૃત્યુ લાગે છે, જે ઉત્પન્ન થતું અને વિસર્જન થતું લાગે છે તે પર્યાયો છે. પણ પર્યાયો ધારણ કરનાર દ્રવ્ય તો હમેશાં એનું એ જ, ધ્રુવ છે. આ છે જૈન ધર્મની ત્રિપદી જેનો વિસ્તાર આગમોમાં ક્યાંય સુધી પથરાયેલો છે.
સંસાર જડ અને ચેતનની રમત છે અને આ બન્ને દ્રવ્યો સ્વયં શાશ્વત રહેનારાં હોવા છતાંય સતત વિવિધ પર્યાયો ધારણ કરે છે. તેથી સંસારને દ્રવ્ય અને પર્યાયનો રાસ કહે છે જેમાં જીવ અને જંડ એવું કર્મ વિધવિધ સ્વરૂપે રમે છે. જીવ જ્યારે જાગીને કર્મનો સંગ છોડી દે છે, કર્મથી વિમુક્ત થઈ જાય છે ત્યારે રમતનો અંત આવે છે અને તે જીવ રાસ છોડીને પોતાને ઘરે પાછો ફરે છે. પછી તે પોતાની અનંત સમૃદ્ધિમાં સ્થિત થઈ જાય છે. ત્યાર પછી જીવ સ્વયંમાં પોતાના સ્વભાવમાં જ રમે છે. તે સમયે તે કોઈ અન્ય દ્રવ્યનો આશ્રય કરતો નથી કારણ કે તે પોતાનામાં જ પરિપૂર્ણતાનો અનુભવ કરે છે.
ત્રિપદી જૈન ધર્મના વિજ્ઞાનમાં પાયા સમી છે. તેને સમજ્યા વિના સંસારની જટિલતા ન સમજાય.
૩૯
જગત સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org