________________
પંચમહાભૂતોનું બનેલું શરીર, મૃત્યુ પછી વળી એ પાંચ મહાભૂતોમાં ભળી જાય છે.
આપણે જે ઉદાહરણ લીધું છે તેમાં જીવ અને જડ બન્ને દ્રવ્યોની વાત આવી જાય છે. જીવ ચૈતન્યમય છે જયારે શરીર જડ એવા પુદ્ગલોનું બનેલું છે. પુદ્ગલોનો સ્વભાવ સડન, પડન અને ગલનનો છે. પુદ્ગલ આ પ્રક્રિયા દ્વારા જ સતત બદલાતું રહે છે અને નિત નવાં રૂપો ધારણ કરે છે. તેથી તો આપણે બાળક, યુવા, પ્રૌઢ અને વૃદ્ધાવસ્થાઓમાંથી પસાર થઈએ છીએ. આ બધી અવસ્થાઓ પણ જડ એવા પુદ્ગલના બનેલા શરીરની અવસ્થાઓ છે. તે જ તેના બદલાતા પર્યાયો છે. આ તો પિંડની વાત કરી પણ સમસ્ત બ્રહ્માંડ પણ આ નિયમને આધીન રહીને વર્તે છે. ચાંદ, સૂરજ, તારા, સાગરો, નદીઓ, પહાડો ક્યાંય કશું એકરૂપે સ્થિર નથી. સમસ્ત બ્રહ્માંડના પ્રત્યેક પદાર્થમાં સંઘટન અને વિઘટન એટલે કે પરમાણુઓના મળવાની અને છૂટા પડવાની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. આ પ્રક્રિયા વેગીલી હોય તો તે આપણે જોઈ શકીએ અને તે ધીમી હોય તો તત્કાળ આપણને તેનો ખ્યાલ આવતો નથી.
ત્રિપદીમાં દ્રવ્ય માત્રની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપવામાં આવ્યો છે. દ્રવ્ય નિજ સ્વભાવે શાશ્વત છે પણ તેમાં પરિવર્તન થતું રહે છે. તેથી તે નિત નવાં સ્વરૂપો ધારણ કરે છે. આ બદલાતાં સ્વરૂપો એ જ પર્યાયો. પર્યાયો ઉત્પન્ન થાય છે અને પર્યાયો નષ્ટ થાય છે, પણ તેની પાછળ રહેલું પર્યાયોને ધારણ કરનાર દ્રવ્ય તો ધ્રુવ એટલે કે શાશ્વત રહે છે. આપણને જેનો
૩૮
જૈન ધમનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org