________________
છે કે દ્રવ્યનો તો ક્યારેય નાશ થતો નથી, કે તે ઉત્પન્ન પણ નથી થતું પણ આપણને જે સર્જન-વિસર્જન જોવા મળે છે તે તેનાં સ્વરૂપોનું. દ્રવ્યનાં સ્વરૂપ બદલાતાં રહે છે. દ્રવ્ય એક સ્વરૂપે ઉત્પન્ન થતું લાગે છે અને થોડાક સમય પછી તેનું તે સ્વરૂપ નષ્ટ થાય છે. પણ વળી પાછું તે નવા સ્વરૂપે, નવા રૂપ-રંગ અને આકારે ઉત્પન્ન થઈ જાય છે.
આપણને જીવ જન્મતો લાગે છે અને મરતો લાગે છે પણ વાસ્તવિકતામાં જીવનો જન્મય નથી અને મૃત્યુ પણ નથી. જીવ એક શરીર ધારણ કરે છે તેને આપણે જન્મ તરીકે લેખીએ છીએ. જીવ તે દેહને છોડે છે તેને આપણે તેનું મૃત્યુ ગણી લઈએ છીએ. વાસ્તવિકતામાં તે શરીરનો જન્મ છે અને શરીરનું મૃત્યુ છે. જે શરીર ધારણ કરીને રહેલો હોય છે તે તો નથી જન્મતો કે નથી મરતો. તે એક દેહ છોડીને વળી પાછો બીજો દેહ ધારણ કરીને સંસારમાં ક્યાંક ઉપસ્થિત થઈ જાય છે. પણ વિવિધ શરીરોને ધારણ કરનાર જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે – કાયમ રહે છે. જેનો જન્મ કે મૃત્યુ થાય છે તે દેહ તો જીવનું એક સ્વરૂપ છે – જેને માટે પારિભાષિક શબ્દ પર્યાય' વપરાય છે.
કોઈને વિચાર આવે કે શરીરને બાળી નાખવામાં આવે છે ત્યારે જડનું તો વિસર્જન થઈ ગયુંને ! ના, તે વખતે પણ જડના એક સ્વરૂપનો–પર્યાયનો જ નાશ થાય છે અને તેનું વિસર્જન થતાં તેના મૂળ ઘટકો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ છૂટાં પડી પોતપોતાના સ્વભાવમાં વળી પાછા સ્થિત થઈ જાય છે. તેથી તો આપણે ત્યાં કહેવાય છે કે
જગત સ્વભાવ
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org