________________
તેનાં આદિ કે અંત નથી. જો દ્રવ્યની શરૂઆત હોય, આદિ હોય કે તેનો અંત હોય એટલે કે વિસર્જન હોય તો તેને અસ્તિત્વના ઘટક તરીકે ગણવામાં ન આવે.
છતાય આપણી નજરે સંસારમાં જીવો જન્મતા અને મરતા લાગે છે. વસ્તુઓ પેદા થતી દેખાય છે અને નષ્ટ થતી લાગે છે – તેનું શું? આમ તો આપણે કોઈ જીવને કે જડને સ્થાયી સ્વરૂપે લાંબો કાળ જોઈ શકતા નથી તો પછી દ્રવ્યની મૂળ વાત સાથે તેનો મેળ કેવી રીતે બેસે ? આ બહુ મહત્વનો પ્રશ્ન છે તેથી અહીં તેનો સ્વતંત્ર રીતે વિચાર કર્યો છે. આ પ્રશ્ન દેખાય છે તેટલો નાનો નથી કે લાગે છે તેટલો વિકટ નથી. પણ તેના ઉત્તરમાં સંસારનું બધું જ રહસ્ય સમાઈ જાય છે. તીર્થકર ભગવાનો ધર્મની પ્રરૂપણા જે ત્રણ પદોથી કરે છે તેમાં સંસારનું સકળ રહસ્ય આવી જાય છે. તેથી તો ગણધર ભગવંતો એ ત્રણ પદોનો વિસ્તાર કરી આગમોમાં તે જ્ઞાન સંગ્રહિત કરી લે છે. આ ત્રણ પદો છે : ઉપગે ઇવા, વિઘમે ઇવા, ધુવે ઈવા. તેનો શબ્દાર્થ તો એટલો જ છે કે ઉત્પન્ન થાય છે, વિસર્જન થાય છે પણ ધ્રુવ છે. દેખીતી રીતે વાત વસમી લાગે તેવી છે કે ઉત્પન્ન થાય છે, વિસર્જન થાય છે અને છતાંય ધ્રુવ એટલે શાશ્વત કે કાયમનું છે. બસ, આ ત્રણ પદોમાં સંસારનું રહસ્ય આવી જાય છે.
દ્રવ્ય તો નિત્ય છે. તેનો જન્મ નથી, તેનો નાશ પણ નથી. જીવ દ્રવ્ય છે અને અજીવ એવું જડ પણ દ્રવ્ય છે. આપણે તો સતત જીવ અને અજીવનું સર્જન થતું અને વિસર્જન થતું જોઈએ છીએ તે આપણી સમસ્યા છે. જૈન ધર્મ કહે
જૈન ધમનું હાર્દ
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org