________________
જીવને જડ પદાર્થો પ્રત્યે રુચિ-અરુચિ રહે છે. જીવ જેવો રાગવૈષવિહીન થઈ જાય તેની સાથે જ તેનો સંસાર કપાઈ જાય. જડ એવા કર્મને લીધે જીવને રાગ-દ્વેષની પરિણતિ રહે છે અને રાગ-દ્વેષની પરિણતિને કારણે જ જીવ સતત નવાં કર્મોનો આસવ કરે છે. જીવમાં ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિ જે ભાવો છે તે તો રાગ-દ્વેષના સહચારી ભાવો છે. સંસારની આય (આવક) કરાવવાને કારણે તો આ બધા ભાવોને કષાયો
જીવ એટલે અસ્તિત્વનો બોધપૂર્ણ ઘટક એટલે કે જેને પોતાની હયાતીનો કંઈક પણ ખ્યાલ છે. જડ એટલે અસ્તિત્વનો બોધહીન ઘટક જેને પોતાની હસ્તીનો કંઈ ખ્યાલ નથી કે સંવેદન નથી. આપણે સમજણમાં આવતા જઈએ ત્યારથી જ આપણને જીવજગત અને જડજગતનું ભાન થતું જાય છે અને જેમ જેમ સમજણ વધતી જાય છે તેમ તેમ જીવ અને જડની ભેદરેખા સુસ્પષ્ટ થતી જાય છે. પણ આપણને ભાગ્યે જ તે વાતનો ખ્યાલ રહે છે કે આપણો દેહ-શરીર જડ છે કારણ કે તે ચેતનથી ઓતપ્રોત હોય છે. બાકી ચેતન વિનાનો દેહ જડ સિવાય બીજું શું છે ? તેથી તો ચેતનનો વિયોગ થયા પછી દેહને બાળી નાખવો પડે છે. સંસારમાં પણ આપણને જે ચેતનાનો અનુભવ થાય છે તે પણ વિશુદ્ધ ચેતનાનો નહિ. જડ એવા પરમાણુઓથી બનેલા દેહને ધારણ કર્યા વિનાની ચેતનાનો આપણને આવિષ્કાર નથી કે અનુભવ નથી. જીવ અને અજીવ (જડ) બન્ને સંસારના મૂળ ઘટક છે અને તે બન્ને દ્રવ્ય છે. દ્રવ્ય એટલે જેનું અસ્તિત્વ અનાદિ અનંત હોય છે.
જગત સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org