SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જગત સ્વભાવ સમગ્ર સૃષ્ટિની સંરચના સમજવા માટે અસ્તિત્વના મૂળ છ ઘટકો ઉપર વિચાર કર્યો જેને જૈન ધર્મ દ્રવ્ય તરીકે ઓળખે છે. આ છ દ્રવ્યોમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ સહાયક દ્રવ્યો છે. તે પોતે સક્રિય થઈને આપણને સહાય કરવા આવતાં નથી પણ તેમની ઉપસ્થિતિ જ આપણા માટે સહાયક નીવડે છે. સંસારનો જે ખેલ રચાય છે તે કેવળ બે દ્રવ્યો જીવ અને જડને કારણે છે. આપણા માટે તો આ બે દ્રવ્યોનો સંસાર છે. જૈન ધર્મ જડની સત્તા ઓછી નથી આંકી. કર્મ જડ છે તે વાત અત્રે ઉલ્લેખનીય છે. જડ નિર્જીવ છે તેથી તેની તાકાત નથી તેમ કોઈ રખે માની લે ! જડમાં તો અનર્ગળ શક્તિ પડેલી છે જેનો આવિષ્કાર આજના અણુવિજ્ઞાને કરી બતાવ્યો છે. જીવ જડથી સતત પ્રભાવિત થાય છે. જો જીવ જાગેલો ન હોય એટલે કે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય તો તો તે જડનો દોર્યો જ દોરવાય છે. અહીં આપણે જડથી શું અભિપ્રેત છે તે વિશે થોડોક વિચાર કરી લેવાનું આવશ્યક બની રહે છે. આપણો સંસાર જીવ અને જડ(અજીવ)ની ગૂંથણીથી કંઈ વધારે નથી. જીવ અને જડના તાણાવાણાથી સંસારનો પટ રચાય છે. તે માટે જીવનું જેટલું મહત્ત્વ છે તેટલું જ જડનું મહત્ત્વ રહે છે. સંસાર એટલે જીવ અને જડનો સંયોગ. મોક્ષ એટલે જીવનો જડથી (કર્મથી) વિયોગ. જડ એવા કર્મના પ્રભાવ હેઠળ જ જીવ સંસારમાં સરકે છે – રખડે છે. જડથી-કર્મથી આવિષ્કૃત થયેલ જૈન ધમનું હાર્દ ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy