________________
છે અને આ બન્ને દ્રવ્યોને વૈજ્ઞાનિક આધાર પણ મળી રહે છે.
જીવ જન્મોજન્મથી જડ સાથેના સંયોગની સ્થિતિમાં રોકાઈ ગયો છે તેથી તે એક રીતે અધર્મમાં જ ઊભો છે. જીવે જ્યાં આરાધના શરૂ કરી ત્યાં ધર્મ ઉપસ્થિત થઈ ગયો તેમ સમજી લઈએ તો ખોટું નહિ. આત્માનું પૂર્ણ તરફનું પ્રસ્થાન ધર્મ જ ગણાયને ! આમ આ બન્ને દ્રવ્યો માટે વપરાતા શબ્દો ઘણા સાંકેતિક છે.
બાકીનાં બે દ્રવ્યોમાં એક આકાશ છે. આમ એક રીતે વિચારીએ તો અસ્તિત્વને ઉપસ્થિત થવા માટે જે જગા આપે—અવકાશ આપે તે આકાશ. આકાશનો દ્રવ્ય તરીકે વિચાર પણ વિશિષ્ટ છે. આકાશ અસ્તિત્વનો આવશ્યક ઘટક છે. સૌ ધર્મોએ કહ્યું કે વિશ્વ બધું પરમાત્માથી વ્યાપ્ત છે. જૈન ધર્મે કહ્યું કે સમસ્ત સૃષ્ટિ આકાશથી વ્યાપ્ત છે. આકાશનું અસ્તિત્વ તો આલોકની પાર અલોકમાં પણ છે. આકાશનો ગુણ છે કે તે કોઈને વ્યાબાધ કરતું નથી, અવરોધતું નથી. આકાશદ્રવ્યની સ્થાપનામાં જ આત્મદ્રવ્યની સ્વતંત્રતા કે સ્વાયત્તતાની વાત આવી ગઈ અને ઈશ્વર વ્યક્તિગત રીતે કોઈને સહાય કરે
છે. તે વાતનો ઇનકાર પણ થઈ ગયો. જેને જેમ ગોઠવાવું હોય તેમ તેને આકાશ, અવકાશ કરી આપે જગા આપે. આકાશ તમને કંઈ બનાવવા માટે કે બનવામાં સહાય કરવા માટેનું પરિબળ નથી. તમે મુક્ત છો. આકાશ ક્યાંય કોઈને બાધક નથી કે સહાયક પણ નથી. આ વાત ઘણી સૂચક બની જાય છે.
કર
Jain Education International
For Private & Personal Use Only
જૈન ધર્મનું હાર્દ
www.jainelibrary.org