________________
તો ધર્મ જીવને ગતિ કરવામાં સહાયક દ્રવ્ય છે અને અધર્મ સ્થિતિ આપવામાં સહાયક છે. જગતમાં ક્યાંય કોઈએ ધર્મ અને અધર્મનો દ્રવ્ય તરીકે વિચાર કર્યો નથી. જૈન ધર્મ આપણને આમ ઘણી બધી રીતે વિશિષ્ટ લાગે છે. ગતિ આપનાર દ્રવ્યની ઉપસ્થિતિ વિશે વિજ્ઞાને ઘણો વિચાર કર્યો છે. માછલી જળ વિના ગતિ કરી શકતી નથી, પક્ષીઓ હવા વિના ઊડી શકતાં નથી. તેમના માટે જળ અને હવા ગતિ આપનાર દ્રવ્ય છે. અવકાશમાં ગતિ આપનાર દ્રવ્ય તરીકે વિજ્ઞાને ઈથરની ધારણા કરી હતી. પણ સ્થિતિ આપનાર દ્રવ્યની કલ્પના-ધારણા કરીને જૈન ધર્મ વિજ્ઞાનથી એક ડગલું આગળ રહ્યો છે. વળી આ બન્ને દ્રવ્યો માટે જૈન શાસને ધર્મ અને અધર્મ શબ્દ યોજ્યો છે તે સકારણ લાગે છે સૂચક લાગે છે.
-
તેનો એક અર્થ એ પણ તારવી શકાય કે ધર્મ એટલે ગતિ. જીવની વિકાસયાત્રામાં જે કંઈ સહાયક બની રહે તે ધર્મ. ધર્મ વિના જીવ વિકાસ ન સાધી શકે. ધર્મની સહાય લીધા વગર આત્મા પરમાત્મા ન બની શકે. એવી જ રીતે અધર્મનો અર્થ પણ તારવી શકાય. જ્યાં કેવળ સ્થિતિ બની રહે છે તે અધર્મ, વિકાસયાત્રા થંભી ગઈ, જીવ કેવળ સ્થિતિમાં રોકાઈ રહ્યો તે બધો અધર્મ જ ગણાયને ! જડ વસ્તુઓ સ્થિતિમાં છે, ચૈતન્ય એવો જીવ વિકાસોન્મુખ ન રહેતાં, જડની જેમ જ્યાં છે ત્યાં પડી રહે તેને અધર્મ ન કહેવાય તો બીજું શું કહેવાય ? જૈન શાસ્ત્રોને આવો અર્થ અભિપ્રેત હોય કે ન હોય પણ આ બન્ને દ્રવ્યો માટે જેમણે આ શબ્દો પ્રયોજ્યા હશે તેઓ તો ધન્યવાદને પાત્ર છે. આ બન્ને શબ્દો ખૂબ સૂચક
જ્ઞાન-વિજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org