________________
થતું જ રહે છે. આ જગતમાં ક્યાંય કશું સ્થિર નથી. ગતિહીન લાગતો જડ પદાર્થ પણ તેના હાર્દમાં–ન્યુક્લીઅસમાં સતત ગતિશીલ હોય છે. પુદ્ગલ પણ વાસ્તવિકતામાં સ્થિર દેખાતો એક પ્રવાહ છે. જે એક ક્ષણે છે અને બીજી ક્ષણે તે સ્વરૂપે નથી તે પુદ્ગલનું પ્રધાન લક્ષણ છે. વિજ્ઞાન આજે આ વાતનું સમર્થન કરે છે. એક વિજ્ઞાનીએ તો ત્યાં સુધી કહ્યું છે કે Rest જેવો શબ્દ પણ અસ્થાને છે. બધું જ Restless છે. - આપણું શરીર એ પણ પુદ્ગલનું બનેલું છે તેથી તો તેનામાં સતત પરિવર્તન થયા કરે છે. આપણને ખબર પણ નથી પડતી અને આપણે બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ થઈ જઈએ છીએ : સૃષ્ટિની સંરચના સતત ગતિશીલ રહે છે તેથી તો તેને સંસાર કહે છે. કેવળ સ્થિતિની અવસ્થા સંસારની પાર ઊતર્યા વગર ક્યાંય નથી. - પુદ્ગલનો પણ કોઈ સર્જનહાર નથી. જડને પણ બનાવી શકાતું નથી. તેનો પણ નાશ થતો નથી. આપણને જડનું જે વિસર્જન થતું લાગે છે તે કેવળ તેમાં ઘટિત થતું પરિવર્તન છે. પુદ્ગલ અસ્તિત્વનો ખૂબ મહત્ત્વનો ઘટક છે કારણ કે સકળ સંસાર જીવ અને જડના તાણાવાણાથી કંઈ વિશેષ નથી. અસ્તિત્વના આ બે પ્રબળ ઘટકો છે - દ્રવ્યો છે.
આપણા માટે અસ્તિત્વના ખૂબ મહત્ત્વના ઘટકો જીવ અને પુગલ (અજીવ) છે. અસ્તિત્વમાં આ ઉપરાંત બીજા પણ ચાર ઘટકો છે. આ ચાર ઘટકોમાં બે ઘટકો ધર્મ અને અધર્મને નામે ઓળખાય છે. તેમને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કહી શકાય. આમ સીધો સાદો અર્થ લઈએ
૩
.
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org