________________
સમગ્ર સૃષ્ટિનું કોઈ સારતત્ત્વ હોય તો તે જીવ છે– આત્મા છે. જીવનું પ્રધાન લક્ષણ સંવેદન છે. જીવની સંવેદનની ક્ષમતા જેમ જેમ વધતી જાય તેમ તેમ તે ચેતન તરીકે વર્તવા લાગે છે. જીવની સંવેદનની ક્ષમતા અલ્પ થતી જાય તેમ તેમ તે જીવ જડની જેમ વર્તવા લાગે છે. સંવેદન જ્યારે ઘટ્ટ બને ત્યારે તે અનુભવમાં લેખાય. સુખ અને દુઃખ જીવનું સંવેદન છે તેથી તેને જીવનાં લક્ષણો તરીકે લેવાય છે. સુખ-દુઃખ જીવનો પ્રાથમિક અનુભવ છે. આમ તો ઉપયોગ એ જીવનું લક્ષણ ગણાય છે. જીવ મન, વચન અને કાયાના યોગથી જે કંઈ પ્રવર્તન કરે તેને જીવનો ઉપયોગ કહી શકાય. અનુભવની ધારા શુદ્ધ બનતી જાય ત્યારે જીવમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણો ઘટે છે. જ્યારે જીવને પોતાની શુદ્ધતમ અવસ્થાની અનુભૂતિ થાય ત્યારે તે પરમ અવસ્થા છે અને ત્યાં આત્માની
જ્યોતિ વાસનાના કોઈ ધુમાડા વિના ઝળહળી ઊઠે છે અને તેને કેવળજ્ઞાન કહે છે.
બીજું મહત્ત્વનું દ્રવ્ય છે અજીવ જેને માટે જૈન ધર્મમાં પુદ્ગલ શબ્દ યોજવામાં આવે છે. જડ માત્ર પુદ્ગલ છે – તેથી તેને પુદ્ગલાસ્તિકાય કહેવામાં આવે છે. પુદ્ગલ શબ્દ બહુ મઝાનો અને યથાર્થ છે. પુદ્ગલ એટલે જેનું ગલન થાય છે. પડન-સડન અને ગલન પુદ્ગલનાં લક્ષણો છે. પુદ્ગલને સંવેદન નથી પણ પુદ્ગલનાં મુખ્ય લક્ષણો છે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આકાર. અરે! શબ્દ, અંધકાર, પ્રકાશ, ઠંડી, ગરમી વગેરે પણ પુદ્ગલનાં સૂક્ષ્મ લક્ષણો છે. પુદ્ગલ શબ્દ જ પરિવર્તનનો સૂચક છે. જડ પદાર્થ માત્રમાં સતત પરિવર્તન
જ્ઞાન-વિજ્ઞાન
ર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org