________________
કહે છે. આ છએ ઘટકો સમજતાં પહેલાં આપણે દ્રવ્ય અટલે શું તેનો વિચાર કરવો રહ્યો. દ્રવ્યને પોતીકો ગુણ-સ્વભાવ અને અવસ્થા હોય છે. સ્વભાવ સદા દ્રવ્યની સાથે રહે છે,
જ્યારે અવસ્થા બદલાતી રહે છે. આમ દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુક્ત હોય છે. જેને બનાવી ન શકાય કે જેનો નાશ ન કરી શકાય તેને દ્રવ્ય ગણાય. દ્રવ્યનું રૂપાંતર થઈ શકે પણ મૂળ દ્રવ્યને બનાવી ન શકાય. તે રીતે દ્રવ્યનો નાશ પણ ન કરી શકાય. તેનું સ્વરૂપ બદલાય પણ તેનો સદંતર નાશ કરવાનું અશક્ય. આ છે જૈન ધર્મની દ્રવ્યની વ્યાખ્યા. જૈન ધર્મે સમગ્ર અસ્તિત્વના છ ઘટકો ગણાવ્યા છે. તે છે જીવ, અજીવ (જડ), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ છ ઉપર આપણે એક પછી એક વિચાર કરીએ અને ત્યાર પછી તેની રીત-રસમ એટલે કે કાર્યપદ્ધતિ વિશે જાણીશું, જેથી સમગ્ર અસ્તિત્વ આપણી સમક્ષ છતું થઈ જાય.
આ છ દ્રવ્યોમાંથી આપણે પહેલાં જીવદ્રવ્યનો વિચાર કરીએ. જીવ એ જ આત્મા. પણ સામાન્ય રીતે વિકસિત જીવ માટે આત્મા શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને અલ્પવિકસિત જીવો માટે જીવાત્મા શબ્દ વાપરીએ છીએ. અવિકસિત જીવો માટે તો જીવ શબ્દ જ વપરાય છે. બાકી આમ તો જીવ માત્ર આત્મા છે અને તેનામાં પરમ વિકાસ સાધવાની, પરમાત્મા બનવાની સંભાવના રહેલી છે. આત્મા પણ દ્રવ્ય છે. તેને કોઈ બનાવતું નથી, તેનો ક્યારેય નાશ થતો નથી. આપણને જીવનનું જે મૃત્યુ દેખાય છે તેમાં જીવનું અસ્તિત્વ તો રહે છે જ, પણ જે સ્વરૂપે તે હતો તે રૂપે તે રહેતો નથી. જો આત્માને આકાશમાં બેસીને કોઈ બનાવતું હોય તો તે પણ વસ્તુ બની ગઈ એમ ગણાય. એમાં આત્માનું ગૌરવ ક્યાં રહયું ? તેમ થતું હોય તો તો આત્મા પણ મજાક બની જાય.
જૈન ધર્મનું હાર્દ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org