SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ એમ સ્વીકારી લીધું પછી એક જ વિકલ્પ આપણી પાસે રહ્યો કે જે સર્વસત્તાધીશ છે, જે સમર્થ છે તેની સેવા કરો અને તેની કૃપાના પાત્ર બની રહો. સૃષ્ટિનો કોઈ કર્તા નથી, કોઈ પાલનહાર નથી કે કોઈ તેનું વિસર્જન કરનાર નથી એવી ધારણા આગળ કરતા જૈન ધર્મને તો જીવ અને જગતના સંબંધોનું નિરૂપણ કરવા ઘણી મથામણ કરવી પડે છે અને તેમાંથી તો સમસ્ત કર્મવાદ પ્રસ્થાપિત થયો. સૃષ્ટિનો કોઈ કર્તા નથી એમ કહ્યા પછી જૈન ધર્મે સૃષ્ટિની સંરચના સમજાવવી પડે છે. તેની પ્રક્રિયાનો પણ વિચાર કરવો પડે છે. વળી પ્રત્યેક જીવ, પરમાત્મા થઈ શકે છે તેમ પ્રતિપાદન કરવાને લીધે જૈન ધર્મને આખો મોક્ષમાર્ગ પણ ચાતરવો પડે છે. જ્યાં જીવાત્માને પરમાત્માનો અંશ ગણવામાં આવતો હોય ત્યાં આવો મોક્ષમાર્ગ ચાતરવાની જરૂર રહેતી નથી. આમ જૈન ધર્મ પાયાથી માંડીને શિખર સુધી સૌ ધર્મો કરતાં અલગ પડી જાય છે અને વૈજ્ઞાનિક બની રહે છે. અસ્તિત્વના ઘટકો : ઈશ્વરના સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરી. સૃષ્ટિ કે સંસારનો કોઈ સર્જક નથી, કોઈ ઉપર બેસીને તે ચલાવતું નથી એ બાબત જૈન ધર્મની ધારણા સમજ્યા. પણ જીવ અને જગતના અસ્તિત્વને જાણ્યા વિના ધર્મનો પૂરો ખ્યાલ નહિ આવે. અસ્તિત્વ એટલે કે જે છે તે. સંસારમાં જીવ છે અને જડ છે. વાસ્તવિકતામાં તો જીવ અને જડના સંબંધો તે જ સંસાર. બ્રહ્માંડમાં એકલો જીવ જ નથી કે એકલું જડ જ નથી. જૈન વિજ્ઞાને સમગ્ર અસ્તિત્વના છ ઘટકો ગણાવ્યા છે. જૈન ધર્મમાં તેને દ્રવ્યો જ્ઞાન-વિજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy