________________
રીતે કર્મરહિત થઈ જાય, પછી ભલે ગમે ત્યાંથી આવતો હોય તો પણ તેનો મોક્ષ થઈ જાય. સંસારીનો પણ મોક્ષ થઈ શકે અને સાધુનો પણ મોક્ષ થઈ શકે. કોઈ પણ ધર્મદ્વારેથી મોક્ષમાં પ્રવેશ થઈ શકે પણ તેની પૂર્વશરત એટલી કે સકલ કર્મનો ક્ષય થવો જોઈએ. મોક્ષને સિદ્ધ કરવા માટે અર્થાત્ સ્વભાવમાં આવવા માટે જે સાધનો છે તેને ઉપચારથી ધર્મ કહે છે. જૈન ધર્મમાં અહિંસા, સંયમ અને તપ એ ધર્મનાં પ્રમુખ સાધનો છે, જેનું પુસ્તકમાં અન્ય સ્થળે સવિસ્તર નિરૂપણ કરેલું છે. જીવની ક્ષમતા અને તેની ભૂમિકા ધ્યાનમાં રાખીને જૈન ધર્મમાં આખા મોક્ષમાર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને ઠેર ઠેર માર્ગ સૂચક એંધાણો પણ મૂકવામાં આવ્યાં છે. વળી આ મોક્ષમાર્ગની લાક્ષણિકતા એ છે કે તીર્થકરોએ જાતે સૌથી આગળ ચાલીને મોક્ષમાર્ગ ચાતરી બતાવ્યો છે. તીર્થકરો પણ એક વખત આપણા જેવા જ કર્મથી લેપાયેલા જીવો હતા પણ અહિંસા, સંયમ અને તપનું પાલન કરતાં સકલ કર્મનો ક્ષય કરીને તેઓ મોક્ષ ઉપર પહોંચી ગયા કે તેમનો મોક્ષ થઈ ગયો. આપણો પણ મોક્ષ થઈ શકે છે, આપણે પણ સિદ્ધ પરમાત્માઓની સાથે જ સ્થાન લઈ શકીએ છીએ. આપણા સૌની તે સંભાવના છે જે આપણે સિદ્ધ કરીએ.
જૈન ધર્મના આ મહત્ત્વના છ મુદાઓને સમ્યક દર્શનનાં છ સ્થાનકો કહે છે. તેમાં આત્મા છે, આત્મા નિત્ય છે – એમાં તો આપણે કંઈ કરવાનું નથી. તે તો સમજવાની વાત છે. મોક્ષ છે અને મોક્ષનો માર્ગ છે એ બે સ્થાનો આપણા લક્ષ્ય સમાં છે. બાકી જે બે સ્થાનોની વાત આવી તે આત્મા
રર
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org