________________
તે પ્રાપ્ત કરી શકે છે. આ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેનાં વિધિ-વિધાન છે, તેના ઉપાયો છે. આ ઉપાય એટલે ધર્મ, મોક્ષમાર્ગ ધર્મ શબ્દ ઘણો વ્યાપક છે. તેનો મૂળ અર્થ છે સ્વભાવ. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત સામર્થ્ય તે વાસ્તવિકતામાં આત્માનો પોતાનો જ સ્વભાવ છે પણ તે કર્મને લીધે અવરુદ્ધ થયેલો છે. કર્મને વશવર્તી રહેલો જીવ અનંતની તેની આ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. જો જીવ જાગ્યા પછી ધર્મમાં આવી જાય એટલે કે મોક્ષમાર્ગમાં આવી જાય તો મોક્ષ પ્રત્યેક જીવની સંભાવના છે. જૈન ધર્મમાં મોક્ષ કોઈ આત્મા કે પરમાત્માની જાગીર નથી. સૌ જીવોની તે સંભાવના છે. જોકે તે બધા જીવો પ્રાપ્ત કરી શક્તા નથી તે જુદી વાત છે. જૈન મોક્ષધામમાં જવા માટે સૌ માટે દ્વાર ખુલ્લાં છે. ત્યાં કોઈ પણ જીવ માટે પ્રવેશ બંધ નથી. પણ મોક્ષ સિદ્ધ કરવો પડે છે, પુરુષાર્થથી મેળવવો પડે છે. ત્યાં કોઈની કૃપા કામ આવતી નથી અને કોઈ કોઈને માર્ગ બતાવવાથી કંઈ વધારે ઉપકાર કરી શકતું નથી.
અનંત આનંદના શાશ્વત ધામ મોક્ષમાં પહોંચવા માટેના જે જે માર્ગો છે તે બધા મોક્ષમાર્ગ જ કહેવાય. ત્યાં જ્ઞાનથી પહોંચાય, ધ્યાનથી પહોંચાય, ભક્તિભાવથી પહોંચાય, તપથીય જવાય. પણ મૂળ વાત છે કે કર્મરહિત થવું પડે. કર્મવિહીન થયા વિના, સકલ કર્મોનો ક્ષય કર્યા વિના કોઈનો મોક્ષ ન થાય. કર્મ એટલે જ સંસાર અને સકલ કર્મક્ષય તે જ મોક્ષ – આ જૈન ધર્મની મૂળ વાત છે. જૈન ધર્મે ક્યારેય એમ નથી કહ્યું કે જૈન સિવાયનાનો મોક્ષ ન થાય. જીવ ગમે તે
આધારશિલા
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org