________________
મોક્ષ કહે છે. “મોક્ષ' શબ્દ જ એ વાતનો સૂચક છે કે આત્મા
ક્યાંક બંધનમાં પડેલો હતો અને હવે બંધનમાંથી તે મુક્ત થયો. આવી કોઈ અવસ્થા ન હોત કે આવી કોઈ શક્યતા ન હોત તો પછી જીવને બચવાનો કોઈ આરો ન હોત. પણ કર્મવિહીન આત્માનું અસ્તિત્વ બની રહે છે જે આત્માની તદન આત્મનિર્ભર નિજાનંદની અવસ્થા છે. તેને પરમાત્મદશા કહે છે. એટલે કે જ્યાં આત્મા પરમાત્મા બની જાય છે. આ છે જૈન ધર્મની મોક્ષની પ્રરૂપણા અને તે પણ સૌથી વિશિષ્ટ છે. એમાં ક્યાંય કોઈ ભગવાનમાં ભળવાની વાત નથી, એમાં ભગવદ્ કૃપાની વાત નથી, કોઈની શરણાગતિનો સ્વીકાર કરવાની વાત નથી. જો શરણાગતિ હોય તો તે સ્વયંની જ છે. જે વાત છે તે કેવળ આત્માના શુદ્ધ સ્વભાવમાં આવી જવાની. મોક્ષમાં પણ જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ બની રહે છે ને તે પરસ્પરને બાધક નથી હોતું. જૈનો માટે મોક્ષ આધ્યાત્મિક તો છે જ પણ સાથે સાથે તેનું ભૌગોલિક સ્થાન પણ છે કારણ કે જીવ કર્મથી મુક્ત થયા પછી હલકો થઈ જવાને કારણે આલોકના અગ્રભાગે સ્વયં જઈ પહોંચે છે અને તેનાથી આગળ લોકમાં ગતિ ન હોવાને કારણે ત્યાં સિદ્ધશિલા ઉપર સ્થિત થઈ જાય છે. આ વાતથી પણ જૈન ધર્મનો મોક્ષ વિશિષ્ટ બની જાય છે.
આવા મોક્ષનું અસ્તિત્વ હોય પણ જો ત્યાં પહોંચી શકાય તેમ જ ન હોય, જો તે પ્રાપ્ત થઈ શકે તેમ ન હોય તો વળી પાછો જીવ અસહાય જ બની જાય. હવે આપણી ચર્ચાનો છેલ્લો મુદ્દો આવી ગયો. મોક્ષ છે, પરમાત્મદશા છે અને જીવાત્મા
૨૦
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org