________________
જ રહેવાની. જો જીવ દુષ્કૃત્ય કરતો, મિથ્યા ભાવોમાં મગ્ન રહેશે તો ઉત્તરોત્તર તેને માટે પ્રતિકૂળતાઓનું નિર્માણ થવાનું અને સરવાળે જીવ ભવાંતરમાં કર્મની બાજી હારી જવાનો.
જૈન ધર્મના મતે કર્મ એટલે સંસાર. પુણ્યકર્મ સાનુકૂળતા આપે, પાપકર્મ પ્રતિકૂળતા કરી આપે. એકનું સંવેદન સુખદ લાગે, બીજાનું સંવેદન દુઃખદ લાગે. પણ પૌલિક સંવેદન રહ્યું ત્યાં સુધી પરાધીનતા. ગમે તેવું સામ્રાજ્ય મળે પણ કોઈના ઇશારે ભોગવવાનું હોય તો તે સહન કરવા તુલ્ય જ ગણાય. આત્મા મૃતવત્ અવસ્થામાં કલ્પનામાં ન આવે તેટલો કાળ પડ્યો રહે છે તે પણ કર્મના ભારને કારણે. સુષુપ્ત અવસ્થામાંથી જાગ્યા પછી પણ કોઈ પીડતું હોય કે રખડાવતું હોય તો તે પણ કર્મ જ છે. સંસારમાં જીવની આ જ પરિસ્થિતિ કાયમ જ બની રહેવાની હોત અને બીજો કોઈ વિકલ્પ ન હોત તો તો આપણે કંઈ ઝાઝું કરવાનું રહેત નહિ. પણ જાગેલો જીવ પોતાના ઉપર પડેલાં બધાં જ કર્મોને ખંખેરી નાખવા સમર્થ છે, નવાં આવતાં કર્મોને રોકી લેવા પણ શક્તિશાળી છે તેથી કર્મસત્તાની બહાર નીકળી જવાની તેનામાં ક્ષમતા છે. જીવ કર્મમાત્રથી અળગો થઈ જાય, કર્મસત્તાની પેલે પાર નીકળી જાય પછી કોઈ તેને પીડી શકતું નથી. ત્યાર પછી તેને ક્યાંય રખડવાનું રહેતું નથી. કર્મ ગયાં એટલે આત્માને પોતાનું ઘર મળી ગયું.
કર્મરહિત અવસ્થા પરમ આનંદની અવસ્થા છે અને વળી તે શાશ્વત છે. તે અવસ્થા પ્રાપ્ત થયા પછી આત્મા ત્યાંથી પાછો પડતો નથી. આવા કર્મવિહીન આનંદમય અસ્તિત્વને
આધારશિલા
Jain Education International
For Private & Personal Use Only
૧૯
www.jainelibrary.org