________________
વધવા માટે કર્મની અકામ નિર્જરા જ પ્રબળ કારણ બની રહે છે. જીવ વિચારપૂર્વક કંઈ ન કરતો હોય છતાંય તેને વેઠવા પડતાં કે વેદવાં પડતાં સુખ-દુઃખને કારણે તેના ઉપર લાગેલાં કર્મો ખરી પડે છે જેને અકામ નિર્જરા કહેવામાં આવે છે. મોટે ભાગે જીવો અકામ નિર્જરા કરતા કરતા ભવભ્રમણની યાત્રામાં આગળ વધતા હોય છે, પણ જીવને જેવાં મન અને બુદ્ધિ મળે છે ત્યારથી તે સભાનતાપૂર્વક કર્મની સાથે સંઘર્ષ કરવાની સ્થિતિમાં આવી શકે છે. આપણે બધા અત્યારે આ કક્ષા સુધી આવી પહોંચ્યા છીએ. હવે જો આપણે ચૂકી જઈએ તો પછી આપણો જ વાંક ગણાયને !
જીવ પુખ્ત થઈ ગયા પછી, સમજણમાં આવી ગયા પછી પોતાની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ ન કરે, પોતાને મળેલી તક ચૂકી જાય, પોતાની શક્તિ વેડફી નાખે અને પ્રમાદમાં પડી જાય તો સરવાળે તેને જ સહન કરવાનું રહેવાનું. વળી પાછી કર્મસત્તા તેને પોતાની પકડમાં લઈ લેવાની અને પછી તો તેમાંથી ક્યારે છુટાય કે ન છુટાય, તે તો કોણ જાણે ? આ સાથે કર્મની બીજી એક ગહન વાત પણ આવી ગઈ કે જીવ કર્મનો કર્તા છે, જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે તો પછી તેનું ફળ પણ તેણે જ ભોગવવાનું. આમ જીવ કર્મનો કર્તા બન્યો તો કર્મનો ભોક્તા પણ તે જ બની રહેવાનો. સમજણમાં અર્થાત્ સભાન અવસ્થામાં આવ્યા પછી જીવને જે સુખ કે સાનુકૂળતા મળે અથવા દુઃખ કે પ્રતિકૂળતા મળી રહે તે બધા માટે જીવનાં કર્મ જ જવાબદાર છે. જીવ સત્કાર્યો કરી ધર્મના ભાવમાં રહેશે તો તેને ઉત્તરોત્તર સાનુકૂળતા મળતી
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org