SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જરા મુશ્કેલી પડવાની કારણ કે જીવની સાથે કર્મ અનાદિ કાળથી જડાયેલું છે એવી આપણે એક ધારણા કરી અને અહીં આપણે એમ કહીએ છીએ કે જીવ પોતે કર્મનો કર્તા છે. આ એક ગૂંચ છે અને તેનો ઉકેલ કંઈક અપેક્ષાઓને સહારે જ કરવો પડે છે. લગભગ બધા ધર્મોમાં ક્યાંક ને ક્યાંક આવી ગૂંચો મળી આવે છે અને તેનો ઉકેલ વિવિધ અપેક્ષાએ જ તેમણે કરવો પડ્યો છે તે વાત સમજી લેવા જેવી છે. - હવે મૂળ વાત સાથે અનુસંધાન કરી લઈએ અને ગૂંચનું નિરાકરણ કરીએ. જેની કોઈ શરૂઆત નથી તેવા સંસારમાં જીવનું અસ્તિત્વ જેવું અકારણ છે તેવું જ તેની સાથે ઓતપ્રોત થઈને પડેલા કર્મનું અસ્તિત્વ પણ અકારણ અને અહેતુક છે. આપણને ગમે કે ન ગમે પણ આ પરિસ્થિતિ છે જે સ્વીકારીને જ આપણે આગળ વધવું પડે છે. જીવ નિગોદમાંથી બહાર આવે છે તેમાં કેવળ ભવિતવ્યતા જ પ્રબળ કારણ છે અને ત્યાંથી તે પંચેન્દ્રિય સુધીની ભવભવાંતરની યાત્રા પણ નદી-પાષાણ ન્યાયે જ કરે છે. એટલે કે જેમ નદીમાં તણાતો પથ્થર અથડાતો-કૂટાતો છેવટે ગોળ થતો જાય છે તેમ જીવ મોટે ભાગે કર્મોની અકામ નિર્જરા કરતો કરતો સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થાને પામે છે. અહીં તેને મન મળે છે. નિગોદમાં જીવ અલ્પવિકસિત ચેતનાને કારણે સદંતર પરાધીન હતો એટલે ત્યાં તો તે વિચારપૂર્વક કંઈ ખાસ કરી શકે તેમ ન હતો. નિગોદમાંથી નીકળી પંચેન્દ્રિય અવસ્થા સુધીની જીવની યાત્રામાં પણ જીવ પોતાના વિકાસ માટે સભાનતાપૂર્વક સક્રિય થઈ શકતો નથી. ત્યાં સુધી તો આગળ આધારશિલા Jain Ernational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy