________________
ક્યાંથી આવ્યો અને કેમ તે નષ્ટ થતો નથી તે વાતને માટે તો અવકાશ જ નથી રહેતો કારણ કે તે તો આપણી મૂળભૂત ધારણા છે અને તે ધારણાની ધારાએ તો આપણે આગળ વધી રહ્યા છીએ.
આપણને પળે પળે સુખદુ:ખનું સંવેદન થાય છે. જીવ માત્ર સુખનો એટલે કે અનુકૂળ સંવેદનનો ઇચ્છુક છે તેથી જે જીવની વિચાર કરવાની ક્ષમતા છે તે સ્વાભાવિક રીતે વિચાર કરવાનો જ કે હું સુખી કેમ ? હું દુ:ખી કેમ ? (જો ઈશ્વરનું અસ્તિત્વ હોય તે કરુણાપૂર્ણ હોય અને વળી જો તેના હાથની જ વાત હોય તો એક જીવને સુખી કરે અને બીજાને દુઃખી કેમ રાખે ?) અહીં જૈન ધર્મ સૌ કરતાં આગળ નીકળી ગયો છે અને તે કહે છે કે કોઈ બહારની સત્તા આપણને સુખી કે દુઃખી કરતી નથી. કોઈને એમાં રસ શું ? અને જો કોઈ તેવો રસ લે તો તેને ઈશ્વર કેમ કહેવાય ? આવો રસ તો મનુષ્યને હોઈ શકે પણ મનુષ્યત્વની ઉપર ઊઠી ગયેલા આત્માને કે પરમાત્માને હોઈ શકે ખરો ? ઈશ્વર જો સર્વસત્તાધીશ હોય તો તેણે સૌને સુખી જ કરી દેવાના હોયને! અને વળી તેમાં વિલંબ શા માટે કરવાનો હોય?
જૈન ધર્મ જીવના પોતાના સુખ કે દુઃખ માટેનો યશ કે અપયશ કોઈને નથી આપતો. તે સુસ્પષ્ટ રીતે કહે છે કે જીવ સુખી છે કે દુઃખી છે તો તે તેનાં પોતાનાં કર્મોને કારણે છે જ. જૈન ધર્મે દુઃખની જવાબદારી કોઈના માથે ધકેલી દીધી નથી. જીવ પોતે જ કર્મનો કર્તા છે. અને પોતાનાં કર્મોનાં ફળ સારાં હોય કે નરસાં હોય જીવે ભોગવવાં જ રહ્યાં. અહીં
૧૬
Jain Education International
For Private & Personal Use Only
જૈન ધર્મનું હાર્દ
www.jainelibrary.org