________________
તેની સૂક્ષ્મ તાત્ત્વિક ચર્ચામાં ન પડીએ. પણ આપણને સતત આપણા અસ્તિત્વનું ભાન થયા કરે છે તે સંવેદનને કારણે તેની તો ના પડાય નહિ. જે કેટલાક લોકોએ આત્માના અલગ અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો તેમને અનાત્મવાદીઓ કહે છે. પણ તેમણેય ચેતનાના આવિર્ભાવની તો વાત સ્વીકારી જ છે. મૂળ તફાવત તો એટલો જ છે કે તેઓ એમ માને છે કે પાંચ ભૂતો – પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશછે નું અમુક પ્રમાણમાં સંયોજન થતાં તેમાં ચૈતન્ય પ્રગટે છે અને પાંચ મહાભૂતોનું વિઘટન થતાં ચૈતન્ય વિરમી જાય છે. આમ તેમના મતે ચેતના પાંચ મહાભૂતોની પહેલાં પણ નથી હોતી અને પછીથી પણ નથી હોતી.
-
-
જૈન ધર્મ આત્મવાદી છે. તે માને છે કે જડમાંથી ચેતન પેદા ન થઈ શકે. જડ દ્વારા ચેતન વ્યક્ત થાય છે અને જડનો સહારો ન રહેતાં ચેતન અવ્યક્ત થઈ જાય છે પણ તેનું અસ્તિત્વ તો બની જ રહે છે. આપણે આગળ જૈન ધર્મની ધારણા વિશે વાત કરી ગયા કે આત્માનું અસ્તિત્વ તો છે જ અને તે પણ અનંત જીવોનું. વળી આ અનંતા જીવો, નથી જન્મતા કે નથી મરતા એટલે કે તેને કોઈએ બનાવ્યા નથી અને તેમનો ક્યારેય નાશ થવાનો નથી. (આપણે જેને જન્મ-મરણ કહીએ છીએ તે શરીરનાં જન્મ અને મરણ છે. પણ ઉપચારથી આપણે જીવનું જન્મ-મરણ કહીએ છીએ.) આમ સંસારમાં અનંતા જીવો છે જ અને તેમની ઉત્પત્તિ અને લય ન હોવાને કારણે તેઓ નિત્ય છે. આમ સંસાર વિશેની મૂળભૂત જૈન ધારણામાં આપણા પ્રથમના બે મુદ્દા તો આવી જ જાય છે. પછી આત્મા
આધારશિલા
Jain Education International
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org