________________
જવા જેવું છે. બહાર નીકળીને ક્યાં જવાય, કેવી રીતે બહાર નીકળી શકાય એ બધી વાતો એટલે જે તે ધર્મની વાતો.
આપણે ધારણા વિશે આટલી વિશદ ચર્ચા કરી છે કારણ કે તે વિના જૈન ધર્મની જે વાતો આપણે કરવાની છે તેની સુયોગ્ય માંડણી થઈ શકે નહિ. વળી જૈન બાળકો અને શ્રાવકો પણ એટલું જાણી લે કે સૌ ધર્મો એક કે બીજી ધારણા ઉપર ઊભા છે ને તે આવશ્યક પણ છે. જૈન ધર્મ સિવાયના બધા ધર્મો મિથ્યા ધર્મો છે' - એવું આપણા લોકોના સમૂહમાં રહીને બોલવું સરળ છે. બાકી વિજ્ઞાનથી અભિપ્રેત જગતને કે પશ્ચિમના શિક્ષણ અને સંસ્કાર વચ્ચે ઊછરેલાં જૈન બાળકોને પણ તે સમજાવવું મુશ્કેલ છે. તેથી મેં ધર્મોની મૂળભૂત ધારણા વિશે આટલી ચર્ચા કરવાનું જરૂરી ગણ્યું.
જૈન ધર્મની પાયાની ધારણા આપણે સમજ્યા. હવે આપણે એ ધારણાને આનુષંગિક જે છ મહત્ત્વના મુદ્દાઓ છે તેની વાત કરીએ. (૧) આત્માનું અસ્તિત્વ છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ છે. આ છ મુદાનો વિસ્તાર એટલે જૈન ધર્મ.
જૈન ધર્મ આત્મવાદી છે. આત્માના અસ્તિત્વનો તેણે સહજ સ્વીકાર કર્યો છે. સંવેદન તે આત્માનું સૌથી પ્રથમ નજરે પડતું લક્ષણ છે, અને ચેતનાના પ્રવર્તનથી એટલે ઉપયોગથી તે જડ પદાર્થોથી ભિન્ન પડી જાય છે. ચેતનાનું પ્રવર્તન જેમ ઉદાત્ત. થતું જાય તેમ આત્મામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણોનો આવિર્ભાવ થતો જાય. આત્મા વિશેની આ મૂળભૂત વાત છે. ભલે આપણે અહીં
૧૪
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org