________________
રુચિ મળી છે. પરાધીન અવસ્થામાંથી સંપૂર્ણતયા સ્વાધીન થઈ જવાની તક અહીં મળી ગઈ છે. જીવ જો કર્મના કચરાથી મુક્ત થઈ જાય, પોતાને કર્મથી અલગ કરી દઈને કર્મથી રહિત થઈ જાય તો તે ભવચક્રમાંથી બહાર નીકળી જઈ શકે છે. કર્મને પોતાનાથી અલગ કરી દઈ, પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જવું તે ધર્મ છે. સમસ્ત જૈન ધર્મ આ ધારણા ઉપર ઊભો છે. તમે જન્મજાત જૈન હશો તો તમે વિના આનાકાનીએ આ ધારણા કદાચ સ્વીકારી લીધી હશે. પણ આ એક ધારણા છે તે વાત ન ભૂલશો, કારણ કે જે લોકો સ્પષ્ટ થયા વિના દોડે છે દોડતા રહે છે તે વચ્ચે ક્યાંક ખોટકાઈ જાય છે. પણ ધારણા એ ધારણા છે. સૌને પોતપોતાની ધારણા હોય છે. જે ધર્મમાં કે સંપ્રદાયમાં માણસ જન્મે તેની ધારણા તેને વહાલી લાગે અને તે જ સ્વીકાર્ય લાગે તે સ્વાભાવિક છે. જો બધા ધર્મોની એક જ ધારણા હોય તો ધર્મના આટલા ફાંટાઓ જ ન પડ્યા હોત. એક વાત નિશ્ચિત છે કે જેણે જીવના સુખનો વિચાર કર્યો તેણે સંસારનો કે સૃષ્ટિનો વિચાર કરવો જ પડ્યો. સંસારનો આ કોયડો ગજબનો છે જેને કોઈ બુદ્ધિને સર્વથા ગમ્ય રહે તે રીતે ઉકેલી શક્યું નથી. સૌ ધર્મોને સૃષ્ટિની ઉત્પત્તિ, તેનો હેતુ, સંસારનું સ્વરૂપ અને જીવનું પ્રાપ્તવ્ય વગેરે વિશે ધારણાનો સહારો લેવો જ પડ્યો છે. આમાં જૈન અને બૌદ્ધ સિવાયના મોટા ભાગના ધર્મોએ ઈશ્વરની ધારણા કરી અને પછી પોતાનો દાખલો ગણી લીધો. ઈશ્વરને કોણે બનાવ્યો, તે ક્યાંથી આવ્યો, તેનો ઉત્તર નથી એટલે અજન્મા કહ્યો. સંસાર કેમ બનાવ્યો તો ઉત્તરમાં ‘તે તેની મોજ, તેને
૧૨
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org