________________
અતિ ભાગ્યશાળી જીવોને ધર્મનું વાતાવરણ મળી જાય છે. આવા અપવાદ જેવા જીવોની જે અલ્પસંખ્યા સંસારમાં છે તેમાં આપણે આવી ગયા છીએ. આપણો નંબર લાગી ગયો છે.
જીવનમાં કેવળ નહીંવત્ ધબકાર જેવા જડવત્ જીવન અર્થાત્ નિગોદમાંથી બહાર નીકળી ચર અવસ્થામાં આવવા માટે જીવ કંઈ સવિશેષ પુરુષાર્થ કરતો નથી. અમુક જીવો ચર અવસ્થામાં આવ્યા અને બીજા કેમ ન આવ્યા તે વિશે કોઈ પ્રશ્ન કરે તો આપણી પાસે તેનો ઉત્તર નથી. બસ, તેમ બની ગયું, અકારણ આમ બની ગયું તેનાથી વિશેષ કોઈ કંઈ કહી શકે નહિ. જેને ભવિતવ્યતા કહેવામાં આવે છે. આમ આકસ્મિક રીતે, નદી-પાષાણ ન્યાય એટલે કે નદીમાં તણાતો પથ્થર, અથડાતો-કૂટાતો ગોળ થઈ જાય અને કિનારા ઉપર
ક્યાંક ફેંકાઈ જાય તેમ આપણે ભવચક્રમાંથી ઘૂમતાં ઘૂમતાં મનુષ્યભવમાં આવી ગયા છીએ. આ ભવભ્રમણમાંથી બહાર નીકળી જવું હોય તો તેની તક અહીં મળી છે તે ઝડપી લેવી કે વેડફી દેવી તે તમારા હાથમાં છે.
બસ, હવે અહીંથી ધર્મની શરૂઆત થઈ શકે છે. સંસાર અનાદિ છે. તેને કોઈએ બનાવ્યો નથી. સંસાર અનંતા જીવોથી ખીચોખીચ ભરેલો છે અને તે બધા જીવો, જેમ સુવર્ણ સાથે ખાણમાં માટી ઓતપ્રોત થયેલી હોય છે તેમ કર્મથી લેપાયેલા છે, ખરડાયેલા છે. આ વિષમ પરિસ્થિતિમાંથી અનાયાસે ઊગરી જઈને આપણે આટલે સુધી, મનુષ્યભવ સુધી આવી પહોંચ્યા છીએ. વળી યોગાનુયોગ ધર્મનું વાતાવરણ કે ધર્મ પ્રત્યેની
આધારશિલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org