________________
અને ધર્મનાં દ્વાર સૌને માટે ખોલી આપ્યાં. આમ જૈન ધર્મ એક મોટું ક્રાન્તિકારી પગલું ભર્યું હતું.
પચ્ચખાણ અને પ્રતિક્રમણ જૈન ધર્મનું આગવું પ્રદાન છે. આપણે ત્યાં કર્મરહિત થવા માટે અયોગની વાત ઉપર ભાર મુકાય છે જ્યારે બધે ઈશ્વર સાથેના અનુસંધાનનું લક્ષ્ય હોવાથી યોગ ઉપર ભાર મુકાય છે. આપણે ત્યાં પૂજા મહત્ત્વની છે; અન્ય ધર્મોમાં સેવાની મહત્તા છે. બધે પ્રાર્થના છે; આપણે ત્યાં ધ્યાન ચરમ સ્થાને છે. અન્ય ધર્મોમાં ઈશ્વરના નામનો મહિમા છે. આમ તો કેટલુંય ગણાવી શકાય.
અહીં આપણે જૈન ધર્મની ભિન્નતાની અને વિશિષ્ટતાની વાત કરીને જૈન ધર્મની એક રૂપરેખા રજૂ કરી છે જેથી વાચકનો સુપેરે જૈન ધર્મના હાર્દમાં પ્રવેશ થઈ શકે અને નિષ્ઠાપૂર્વક તે ધર્મમાં આરૂઢ થઈ શકે.
ભિન્ન અને વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org