________________
વિવિધ અપેક્ષાએ અર્થ કરી બતાવી જૈન ધર્મ તરફ વાળી શક્યા તેના કારણમાં સ્યાદ્વાદ જ રહેલો છે. જૈન ધર્મ સત્યને એટલું વિશાળ માને છે કે તેમાં બધી વિરોધી વાત પણ સમાઈ જાય. વિરોધી ધર્મોના સહઅસ્તિત્વનો સ્વીકાર એ તો અનેકાંતના પાયામાં રહેલી વાત છે. અનેકાંતની વિચારવ્યવસ્થાને લીધે જૈન ધર્મને ક્યાંય કોઈ કલહ નથી કે કોઈની સામે દ્વેષ નથી. સૌના મત ઉપર અપેક્ષાએ વિચાર કરવાને કારણે જૈન ધર્મ વૈજ્ઞાનિક ઠરે છે અને સત્યની વધારે નજીક ઊભો રહે છે.
આમ મૂળથી જ જૈન ધર્મ બધા ધર્મોથી ભિન્ન છે અને તેથી તો તે વાતે વાતે વિશિષ્ટ બની રહે છે. આપણે અહીં તો તેની કેટલીક મૂળભૂત વિશિષ્ટતાઓનું વિહંગાવલોકન કર્યું છે. બાકી જોવા જઈએ તો બીજી કેટલીય નાનીમોટી બાબતો છે જે મહત્ત્વની છે છતાંય અહીં તેનો અછડતો ઉલ્લેખ કરીને વિરમવું વધારે યોગ્ય રહેશે.
જૈન ધર્મની ભાષા પ્રાકૃત છે જે તે સમયના જનસમાજની ભાષા હતી. સામાન્ય રીતે ભારતમાં તેમજ અન્ય દેશોમાં પણ ધર્મની એક વિશિષ્ટ ભાષા રહેતી જેને કારણે અમુક પંડિતપુરોહિત વર્ગના હાથમાં જ ધર્મની ધુરા રહેતી હતી. ધર્મ સામાન્ય જનસમાજની પહોંચની બહાર રહેતો જેને પરિણામે ધર્મમાં કેટલાંય અનિષ્ટો ઘૂસી ગયાં હતાં. ઘણી જગાએ તો પંડિતો અને પુરોહિતોના હાથમાં ધર્મ શાસ્ત્ર ન રહેતાં, શસ્ત્ર સમો બની ગયો હતો. જૈન ધર્મે લોકભાષા પ્રાકૃતને ધર્મની ભાષા બનાવી પંડિતોના હાથમાંથી ધર્મની ધુરા લઈ લીધી
જૈન ધર્મનું હાર્દ
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org