________________
અમૃતની ઉપલબ્ધિ થઈ પણ તે પહેલાં ઝેર પણ મળ્યું હતું. શક્તિના બન્ને આયામો છે. જો તે વિસ્ફોટ તરફ વળે તો હિંસા અને વિધ્વંસ વેરે. સર્જન તરફ ઢળે તો સાત્ત્વિક આનંદમાં પરિણમે. શક્તિ સતત ઉછાળા મારતી રહે છે. કાં તો તે મૂર્તિઓ બનાવી તેની પૂજા કરશે અથવા મૂર્તિઓ તોડી રાજી થશે. કાં તો તે મિત્રો બનાવશે અથવા શત્રુઓ બનાવશે. કાં તો તે રાગમાં ઢળશે અથવા ‘ષમાં પરિણમશે. અહિંસા એટલે જીવનઊર્જાનો સર્જનાત્મક આવિર્ભાવ. ઊર્જાનું ઊર્ધ્વરોહણ એટલે અહિંસા. જૈન ધર્મની અહિંસા વિશાળ છે – અનંતની ઉપલબ્ધિનો માર્ગ છે. અહિંસાની યાત્રા છેક પરમાત્મદશા સુધીની છે. પરમને પામીને જીવનઊર્જા પોતાનામાં સ્થિતિ કરી લે છે ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આમ તો અહિંસાનો વિસ્તાર ઘણો મોટો છે. પણ અહીં આપણે તેની અતિસૂક્ષ્મ વાત કરી છે. જૈન ધર્મ અહિંસાને પરમ ધર્મ કહે છે તેની અંતર્ગત ઘણી બધી વાતો રહેલી છે. જૈન ધર્મની અહિંસાનાં ઊંડાણ ઘણાં છે અને તેનો વ્યાપ પણ વિશાળ છે. - વૈચારિક ભૂમિકા ઉપર જૈન ધર્મ અનેકાંતની જે પ્રરૂપણા કરી છે અને તેને પરિપૂર્ણ સ્વરૂપ આપ્યું છે તેવું જગતમાં કોઈ ધર્મે આપ્યું નથી. બધા જ ધર્મો કહે છે કે આપણો “ધર્મ' એ જ સાચો ધર્મ છે. જ્યારે જૈન ધર્મે ક્યારેય એવું કહ્યું નથી કે તે જૈન ધર્મની અનેકાંત વિચારવ્યવસ્થાને આભારી છે. ભગવાન મહાવીરે વેદોનું પ્રમાણ ન લીધું પણ વેદોનો ઈનકાર નથી કર્યો. ગણધર ભગવંતોને તેઓ વેદોની ઋચાઓનો
ભિન્ન અને વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org