________________
ભલેને તે ગમે તેટલો ઉત્કૃષ્ટ હોય. આ આપણી વિશિષ્ટ ધારણા છે જે ઘણી સૂક્ષ્મ છે.
જૈન ધર્મ સૌથી જુદો પડી જાય છે તેના સામાયિકને કારણે. વાસ્તવિકતામાં જૈન ધર્મ સામાયિક ધર્મ છે. સામાન્ય રીતે જૈનો જેને સામાયિક કહે છે તે તો કેવળ ઉપચારથી સામાયિક છે. બાકી જે સામાયિકને કારણે જૈન ધર્મ સામાયિક ગણાય છે તે વાત ઘણી ગહન છે. ભગવાન મહાવીરે ‘આત્મા’ને સમય કહ્યો છે. જૈન ધર્મ શાસ્ત્રોને ધર્મમાર્ગમાં એટલું મહત્ત્વ આપ્યું નથી પણ આત્માની અનુભૂતિને વધારે મહત્તા આપી છે.
*
સંસાર આખો જડ અને ચેતનનો વ્યાપાર છે. જડ એવા પદાર્થોનું અસ્તિત્વ ક્ષેત્રમાં એટલે કે સ્થળમાં છે જ્યારે ચેતનાનો વાસ સમયમાં છે. સમય સ્થિર છે જ્યારે કાળ વહેતો રહે છે. આપણે આપણા અસ્તિત્વને જાણવું હોય એટલે કે આપણા આત્માની અનુભૂતિ કરવી હોય તો તે સમયમાં જ થઈ શકે. આપણે નથી ભૂતકાળમાં કે નથી ભવિષ્યમાં. તો પછી આપણે ક્યાં ઊભા છીએ ? આપણી હયાતી ક્યાં છે ? આપણે સમયમાં અવસ્થિત રહીએ છીએ તેથી આત્માની અનુભૂતિ કરવા માટે સમયને પકડવો પડે. જૈન ધર્મે ‘સમય’ શબ્દને આત્માના પર્યાય તરીકે વાપર્યો છે. આત્માની અનુભૂતિ કરાવનાર સમય છે અને આવી અનુભૂતિ જેમાં થાય તે સામાયિક. આ વાત ઘણી સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક છે પણ આપણી ભિન્નતા અને વિશિષ્ટતા સમજાવવા તેનો અહીં અછડતો ઉલ્લેખ કરી લીધો છે.
ભિન્ન અને વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org