________________
આપણી મૂળભૂત ધારણા બધા ધર્મો કરતાં જુદી પડી જાય છે. પરિણામે આપણો સાધનામાર્ગ પણ સૌ ધર્મો કરતાં ભિન્ન બની રહે છે. પ્રત્યેક આત્માના અલગ અસ્તિત્વની ધારણાથી તેમજ પ્રત્યેક આત્માની પરમાત્મા બનવાની સંભાવનાની ધારણાને કારણે આપણે બધા કરતાં ભિન્ન પડી જઈએ છીએ.
લગભગ બધા ધર્મોએ બ્રહ્માંડ કે સંસારને કોઈ વૈશ્વિક શક્તિનું કાર્ય ગણી તેના કારણરૂપ ઈશ્વરને ગણ્યો છે. આપણે અસ્તિત્વ માટે આવા કાર્યકારણનો સંબંધ સ્વીકાર્યો નથી. આપણા મતે અસંખ્ય સૂર્યો, તારાઓ, નક્ષત્રો, ગ્રહો અને ઉપગ્રહો તેમજ તેનાં ઉપર જયાં-ત્યાં જીવોનું અસ્તિત્વ હોય તેને કાર્યકારણના સંબંધથી જોડવાની જરૂર નથી. સમગ્ર સંસાર એક પ્રવાહ છે જેની કોઈ આદિ નથી કે જેનો કોઈ અંત નથી. જીવ માત્રનું અસ્તિત્વ અનાદિ છે. પણ આ ભવભ્રમણમાંથી તે મુક્ત થઈ શકે છે અને અનંત ઐશ્વર્યની સ્થિતિને પામી શકે છે. માટે આપણે જીવના પરમ વિકાસની સીમાને પરમાત્મદશા ગણી છે અને તેની પ્રાપ્તિને આપણા ધર્મનું લક્ષ્ય ગયું છે.
બીજી એક મહત્ત્વની ધારણામાં પણ આપણે બધા કરતાં જુદા પડી જઈએ છીએ અને તે છે અવતારની ધારણા. અન્ય ધર્મોમાં ભગવાન અવતાર લઈને પાછા સંસારમાં આવે પણ ખરા. આપણે ત્યાં જીવાત્મા, પરમાત્મા બન્યા પછી સંસારમાં પુનરાગમન કરતો નથી. વળી તે કરુણા કરીને કોઈને પોતાના દૂત તરીકે મોકલતો નથી કારણ કે આપણે ત્યાં કરુણાને પણ વિભાવ ગણ્યો છે. વિભાવ એ અપૂર્ણતાનો સૂચક છે, પછી
૪
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org