________________
તો જુદી જ છે. લોકોની ધર્મમાંથી શ્રદ્ધા ડગતી જાય છે અને ધર્મ જનસમાજ ઉપરની પોતાની પકડ ગુમાવતો જાય છે. અત્યારે આપણને ધર્મનું સ્વરૂપ જોવા મળે છે તે કાળના પ્રવાહ સામે ટકી રહેવા માટે બહુ સક્ષમ નથી લાગતું. આજે જગતમાં જૈન ધર્મ પ્રતિ જે જિજ્ઞાસા જોવા મળે છે તેનું એક કારણ એ છે કે જૈન ધર્મની ધારણાઓ વધારે વૈજ્ઞાનિક છે. છતાંય જો આપણે ધર્મને તેના સાચા સ્વરૂપમાં નહિ સમજીએ તો તે આપણને વર્તમાન જીવનપ્રવાહ સામે ટકી રહેવામાં ઝાઝો મદદરૂપ નહિ નીવડે.
જગતના લગભગ બધા ધર્મોએ કોઈ એક સર્વેસર્વા ઈશ્વરની ધારણા કરી છે અને તેને કેન્દ્રમાં રાખીને પોતપોતાનાં ધર્માલયોની રચના કરી છે; જ્યારે જૈન ધર્મે આવા કોઈ સર્જકપોષક અને સંહારક સર્વસમર્થ વ્યક્તિવિશેષ ઈશ્વરનો ઈનકાર કરી આત્માને કેન્દ્રમાં રાખ્યો છે. જૈન ધર્મનું લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિનું નથી પણ પોતે ઈશ્વર બનવાનું છે. ઘણા બધા ધર્મોના મતે ઈશ્વરનું અસ્તિત્વ સૌપ્રથમ છે અને બ્રહ્માંડ તેની રચનાનું પરિણામ છે. જયારે જૈન મત પ્રમાણે અનંતા આત્માઓનું અસ્તિત્વ અનાદિ છે, તેમને કોઈએ બનાવ્યા નથી, કોઈ પરમાત્મામાંથી તે છૂટા પડ્યા નથી. ધર્મ પાસે કોઈ પ્રશ્ન હોય તો તે કેવળ આ અસહાયક અને દુઃખમય ભવભ્રમણમાંથી બહાર નીકળી, શાશ્વત આનંદની સ્થિતિને પ્રાપ્ત કરવાનો છે.
આપણા ધર્મવિચારમાં આત્મા કેન્દ્રસ્થાને છે અને તેણે પરિપૂર્ણ વિકાસ સાધી પરમાત્મદશા પ્રાપ્ત કરવાની છે. આમ ભિન્ન અને વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org