________________
જૈન ધર્મમાં જન્મ્યા છતાંય જો આપણે આવી લાગણી સાથે જીવન પૂર્ણ કરવું પડે તો તેના જેવી બીજી કઈ દુઃખદ વાત હોઈ શકે ? આપણા જીવનમાં આવો વખત ન આવે માટે આપણે સવેળા જાગી જઈએ અને વિચારી લઈએ કે આપણી જીવનયાત્રામાં આપણે ક્યા પડાવ ઉપર ઊભા છીએ અને આપણે ક્યાં પહોંચવું છે ? જે જૈન કુળમાં જન્મ્યાનું આપણને આટઆટલું ગૌરવ છે તે જૈન ધર્મ શું છે, તે બધા ધર્મો કરતાં કેવી રીતે જુદો છે અને તેની વિશિષ્ટતાઓ શી છે ? આટલી વાત જો મનમાં બરોબર જચી ગઈ હશે તો જૈન ધર્મના હાર્દને સમજીને તેનો પૂર્ણ લાભ લઈ શકીશું અને મહામૂલા મનુષ્યજન્મને અને જૈન કુળને સાર્થક કરી શકીશું.
કોઈ પણ ધર્મને મૂલવવો હોય તો તે જીવ, જગત અને જીવનના પ્રાપ્તવ્ય માટે શું માને છે તે બાબતો સમજીએ તો જ તેનું યથાર્થ મૂલ્યાંકન થઈ શકે. આમ જોઈએ તો દરેક ધર્મ આ સંબંધેની પોતાની ધારણા ઉપર ઊભો છે. આ ધારણા જેટલી વાસ્તવિક અને વૈજ્ઞાનિક તેટલે અંશે જે તે ધર્મ વધારે વાસ્તવિક લાગે છે અને બુદ્ધિને વધારે સ્વીકાર્ય બની રહે છે. આજે જગત ધર્મથી મહદ્ અંશે વિમુખ બની રહ્યું છે કારણ કે ધર્મની મૂળભૂત ધારણાઓ અત્યારનાં વૈજ્ઞાનિક સંશોધનો સામે ટકી શકતી નથી. વળી ધર્મ વર્તમાન જીવન સાથે સુસંગત ન લાગતો હોવાથી પણ ઘણા લોકો ધર્મથી દૂર જતા જાય છે. આજે ભલે નવાં નવાં મંદિરો અને ધર્માલયો થતાં જોઈને લાગે કે ધર્મ વધી રહ્યો છે પણ વાસ્તવિકતા
જૈન ધર્મનું હાર્દ
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org