________________
ભિન્ન અને વિશિષ્ટ
જૈન ધર્મના હાર્દમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે તે જાણી લેવું આવશ્યક છે કે જગતને ધર્મથી શું અભિપ્રેત છે, દુનિયા કોને ધર્મ કહે છે અને આપણે અન્ય ધર્મો કરતાં ક્યાં જુદા પડી જઈએ છીએ તેમજ જૈન ધર્મ કેવી રીતે વિશિષ્ટ ધર્મ બની રહ્યો છે.
૧
ઉમરખૈયામે એક જગાએ લખ્યું છે કે ધર્મને પામવા માટે મેં ઘણાં શાઓ ઉથલાવ્યાં, કેટલાય સાધુસંતોને મળ્યો પણ છેવટે તો હું ધર્મમાં જ્યાંથી પ્રવેશ્યો હતો તે જ દ્વારેથી પાછો બહાર આવી ગયો. અંતે મને લાગ્યું કે લાંબી યાત્રા પછી પણ હું તો હતો ત્યાં ને ત્યાં જ ઊભો છું.
ઉમરખૈયામનું આ કથન ગહન છે અને સૌને વિચાર કરતા કરી મૂકે તેવું છે. ધર્મો ઘણી વાર મંજિલ સુધી લઈ જવામાં નિષ્ફળ નીવડે છે કે ઊણા ઊતરે છે કારણ કે ધર્મો મહદ્ અંશે રહસ્યવાદમાં ઊતરી જાય છે.
જગતમાં ધર્મો તો ઘણા બધા છે. સૌ ધર્મો સત્યને પામવા મથે છે, સુખનો માર્ગ દર્શાવે છે અને સાધક વર્તે-ઓછે અંશે તેને અનુસરે છે. છતાંય જીવનને અંતે ઘણાને લાગે છે કે હું જન્મ્યો હતો ત્યારે આધ્યાત્મિક માર્ગમાં જ્યાં હતો ત્યાં જ આજે પણ ઊભો છું. જીવનભર ચાલ્યો ઘણું પણ ક્યાંય પહોંચી શક્યો નહિ. જે કંઈ મેળવ્યું છે તે પણ જાણે મન મનાવવા પૂરતું છે અને ઝંખના તો હજુ એવી ને એવી જ રહી ગઈ છે. જીવન હાથતાળી આપીને સરકી ગયું.
ભિન્ન અને વિશિષ્ટ
જૈ.હા. -૧
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org