________________
આપણે પ્રાણ ન પૂરી શકીએ તો મંત્ર નિર્જીવ બની રહે કે બૂઝ્યો-બૂઝ્યો રહી જાય. મંત્ર પોતે સબળ કે નિર્જીવ નથી પણ આપણા પ્રાણથી તે જીવંત બને છે, આપણા ભાવથી અને શ્રદ્ધાથી તે બળ પ્રાપ્ત કરી લે છે અને પછી તેને સહારે આપણી અધ્યાત્મયાત્રા નિર્વિઘ્ને આગળ વધે છે. નવકાર પથદર્શક છે અને સહપાન્થ એટલે કે સહયાત્રી પણ છે. ક્યાંક પગલું ચૂકી જઈએ તો તે બચાવી લેનાર પણ છે.
આવો મહિમાવાન નવકાર મંત્ર છે. તેની ઘણી બધી વિશિષ્ટતાઓને કારણે તે જૈન શાસનમાં મહામંત્ર બનીને ધર્મના સિંહાસન ઉપર આરૂઢ થયેલો છે. કોઈ જૈન નવકાર વગરનો ન હોય.
મંગલની વર્ષા
Jain Education International
For Private & Personal Use Only
૧૪૭
www.jainelibrary.org