________________
વળે. સંસાર જેની આસપાસ રચાયો છે તે “હું એટલે કે પોતાના આત્મા તરફ દૃષ્ટિ કરે અને તેનાં સુખ-દુઃખનો વિચાર કરે. કષાયોથી પાછો ફરે, વસ્તુઓ અને સંબંધોથી વિરમે અને કેવળ આત્માનો વિચાર કરે તે અંતરાત્મદશા. આ દશા તે જ પ્રથમ મંગળ છે. નવકાર અહીંથી સાથ આપીને જીવને છેક પરમાત્મદશા સુધી પહોંચાડે. આ છે નવકારનો સાર. નવકારનો વિસ્તાર : *
નવકારના વિસ્તારમાં નવકાર કેવી રીતે ગણવાથી વધારે ફળદાયી નીવડે ઈત્યાદિ વાતો આવે છે. નવકાર ભાવપરિવર્તન કરે છે જેથી વેશ્યા બદલાય છે. વેશ્યાને રંગ છે. તેથી નવકાર મંત્રનો જાપ વિવિધ વર્ણ એટલે રંગો સાથે કરવાનાં વિધિવિધાનો છે. શરીરમાં છ સૂક્ષ્મ ચક્રો આવેલાં છે : મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞા. આ છે સ્થાનો ઉપરથી આત્માના પ્રદેશોનો તુરત જ સંપર્ક સાધી શકાય છે. તેથી નવકાર મંત્રનું આ ચક્રનાં સ્થાનો, જેને મર્મસ્થાનો કહે છે તેના ઉપર ધ્યાન કરવામાં આવે છે. આ ધ્યાન લાગતું જ કર્મશરીરને ચોટ મારી સોંસરું નીકળી જાય છે અને સત્વરે અસરકારક નીવડે છે. શ્વાસ સાથે પણ નવકારને જોડવાની વાત છે. શ્વાસ એ દસ પ્રાણમાંની એક પ્રબળ પ્રાણધારા છે. સબળના સાથમાં નવકાર બળવત્તર બની જાય છે. આવો બધો નવકારનો વિસ્તાર છે, જેમાં ઊતરવું અહીં અસ્થાને છે. | નવકાર વિશે જે સમજવાનું છે તે એ છે કે તેનું બળ ક્યાં છે અને તે કેવી રીતે કાર્યાન્વિત થાય છે (સક્રિય થઈ શકે છે). મંત્રનું માળખું ગમે તેટલું સક્ષમ હોય પણ જો તેમાં
જૈન ધર્મનું હાર્દ
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org